News Continuous Bureau | Mumbai
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી દુશ્મનાવટ ચાલી રહી છે. તેથી જ ICC ઈવેન્ટ્સમાં, કાં તો બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવે છે અથવા શેડ્યૂલ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે બંને કટ્ટર હરીફો ચોક્કસપણે સામસામે આવે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે આ મામલે ICC પર ગંભીર આરોપ લગાવ્યો છે. ક્રિકેટ ચાહકો વર્ષોથી ડેવિડ લોયડને કોમેન્ટ્રી પર સાંભળતા આવ્યા છે. પરંતુ હવે તેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટ એસોસિએશન (આઈસીસી) દ્વારા ભારત-પાક મેચોને અગાઉથી ફિક્સ ( Match Fixing ) કરવાનો આરોપ લગાવી તેની સામે સવાલ ઉઠાવ્યા છે.
ડેવિડ લોયડે ( David Lloyd ) પોડકાસ્ટ પર ચર્ચા કરતા કહ્યું હતું કે, હું આ રીતે કોઈ પણ મેચ ફિક્સ થવાની વિરુદ્ધ છું. અમે ક્રિકેટમાં ફિક્સિંગ પર લંબાણપૂર્વક ચર્ચા કરી શકીએ છીએ, ભારત-પાકિસ્તાનની મેચો અગાઉથી જ નક્કી કરવામાં આવે છે. આ મેચ અમુક મોટી ઈવેન્ટ માટે જ હંમેશા ફિક્સ જ હોય છે. આ મેચ પોતાનામાં એક મોટી ઘટના સમાન છે અને તેથી જ ભારત-પાકિસ્તાનની મેચને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે કે, લોકો તેને તમામ સ્થિતિમાં રમતા જોઈ શકે. આ વર્લ્ડ કપમાં ( Cricket World Cup ) પણ ICC એ આ જ રીતે શેડ્યૂલને( Match Schedule ) ઠીક કરવાનો પ્રયાસ કર્યો હતો, જે તદ્દન ખોટું હતું.
આ સમાચાર પણ વાંચો : Kharek : નાયબ બાગાયત નિયામકની કચેરી અને કચ્છના પ્રાક્રિત ફાઉન્ડેસન ફોર ડેવલોપમેન્ટ ટ્રસ્ટ (ખેડુત FPO) આટલા દિવસ માટે ખારેક વેચાણ કેન્દ્ર ખુલ્લુ રહેશે
IND vs PAK: T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતનું શેડ્યૂલ પણ પહેલાથી જ ફિક્સ કરવામાં આવ્યું છે.
ડેવિડ લોયડે તેમના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, T20 વર્લ્ડ કપ 2024 ( T20 World Cup 2024 ) માટે ભારતનું શેડ્યૂલ પણ પહેલાથી જ ફિક્સ કરવામાં આવ્યું છે. ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ ટીમની તમામ ગ્રુપ મેચો એક જ જગ્યાએ રમાઈ હતી અને તમામ મેચો એવી રીતે ફિક્સ કરવામાં આવી હતી કે તે રાત્રે 8 વાગ્યે ભારતમાં ટેલિકાસ્ટ કરવામાં આવે. ભારત સિવાય અન્ય ટીમોએ ઘણી વખત એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડ્યું હતું અને તેમનો સમય પણ સતત બદલાતો રહ્યો હતો.