CSK new captain : એમએસ ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી, ઋતુરાજ ગાયકવાડને ટીમની કમાન મળી.

CSK new captain : આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી પૈકીની એક ચેન્નાઈ સુપર કિંગ્સે આગામી આઈપીએલ સીઝન પહેલા ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. એમએસ ધોનીની જગ્યાએ ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન બન્યા છે. IPLના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલે આ વાતની પુષ્ટિ કરી છે.

by kalpana Verat
CSK new captain M S Dhoni steps down as CSK captain; Ruturaj Gaikwad appointed new skipper

News Continuous Bureau | Mumbai

CSK new captain : IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.  અહેવાલ છે કે એમએસ ધોનીએ અચાનક કેપ્ટનશીપ છોડી દીધી છે અને હવે રુતુરાજ ગાયકવાડને ચેન્નાઈનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધોનીએ ગત સિઝનમાં ચેન્નાઈને પાંચમી વખત IPL જીતાડ્યું હતું અને હવે તેણે ગાયકવાડને ટીમની કમાન સોંપી છે.

CSKએ કેપ્ટનશિપને લઈને જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, એમએસ ધોનીએ આઈપીએલ 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી છે. ઋતુરાજ 2019 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન ભાગ છે અને આ સમયગાળા દરમિયાન તેણે IPLમાં 52 મેચ રમી છે.

એમએસ ધોનીનો કેપ્ટનશિપનો રેકોર્ડ

ધોનીએ ચેન્નાઈને પાંચ વખત IPL જીતાડ્યું એટલું જ નહીં, તેણે ટીમને પાંચ વખત ફાઇનલમાં પણ પહોંચાડી. તે એકમાત્ર એવો કેપ્ટન છે જેણે 10 IPL ફાઈનલ રમી છે. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ 2010, 2011, 2018, 2021 અને 2023માં ચેમ્પિયન બની છે. 2008, 2012, 2013, 2015 અને 2019માં તે ટીમને ફાઇનલમાં લઈ ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : Currency note : હોળીના કલર ચલણી નોટો પર લાગી જાય તો દુકાનમાં ચાલશે કે નહીં? જાણો શું કહે છે RBIના નિયમો

  • ચેન્નાઈએ ધોનીની કપ્તાનીમાં 226 મેચ રમી હતી.
  • ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ 133 મેચ જીતી અને 91માં હારનો સામનો કરવો પડ્યો.
  • ધોનીની કપ્તાનીમાં જીતની ટકાવારી 59.38 ટકા હતી.
  • ધોનીએ કેપ્ટન તરીકે 4660 રન બનાવ્યા હતા
  • કેપ્ટન તરીકે ધોનીએ 22 અડધી સદી ફટકારી હતી.
  • કેપ્ટન તરીકે ધોનીએ 218 સિક્સર અને 320 ફોર ફટકારી હતી.
  • રુતુરાજ ગાયકવાડ CSKનો નવો કેપ્ટન છે.

આ ખેલાડીને બનાવવામાં આવ્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન 

ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈ માટે માત્ર 3 સીઝન રમી છે. તેણે 2020માં ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ સિઝનમાં તે માત્ર 6 મેચ જ રમી શક્યો હતો. પરંતુ 2021માં તેને તેની પૂરી તક મળી અને આ ખેલાડીએ એક સદી અને 4 અડધી સદીના આધારે 635 રન બનાવ્યા. 2022માં ગાયકવાડે માત્ર 368 રન બનાવ્યા હતા પરંતુ છેલ્લી સિઝનમાં ગાયકવાડે 16 મેચમાં 590 રન બનાવીને ટીમને ચેમ્પિયન બનાવી હતી. ગાયકવાડે આઈપીએલમાં અત્યાર સુધીમાં 52 મેચ રમી છે અને 39થી વધુની એવરેજથી 1797 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 135થી વધુ છે.

રુતુરાજ ગાયકવાડ પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે. તે રણજીમાં મહારાષ્ટ્રની કેપ્ટનશીપ કરે છે. તેમજ તેમની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધોની તેના નેતૃત્વના ગુણો જાણે છે અને તેથી જ ગાયકવાડને કેપ્ટનશીપ મળી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More