IPL 2024: KKR સામે આઉટ થયા બાદ ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, અમ્પાયરના આ નિર્ણયથી નારાજ દેખાયો કિંગ કોહલી..

IPL 2024: ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે છ વિકેટે 222 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ફિલ સોલ્ટે 14 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. જ્યારે અય્યરે 36 બોલમાં 50 રનની ઈનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.

by Bipin Mewada
IPL 2024 Virat Kohli got angry after getting out against KKR, King Kohli was angry with the umpire's decision..

News Continuous Bureau | Mumbai

IPL 2024: IPL 2024માં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં વિરાટ કોહલીને ( Virat Kohli )  વિવાદિત બોલ પર આઉટ થતાં મેદાન પર વાતાવરણ ગરમાયું હતું. અમ્પાયરના નિર્ણયથી વિરાટ કોહલી ગુસ્સામાં જોવા મળ્યો હતો. તે મેદાન છોડતા પહેલા અમ્પાયર સાથે ઉગ્ર બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, પ્રથમ બેટિંગ કરતા KKRએ 222 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા વિરાટ કોહલીએ ઝડપી શરૂઆત અપાવી હતી. 7 બોલમાં 18 રન બનાવ્યા. જોકે હર્ષિત રાણાના એક બોલે આખી રમત બદલી નાખી હતી. અમ્પાયર ( umpire ) દ્વારા આઉટ આપ્યા બાદ કોહલીએ મેદાન પરના અમ્પાયરો સામે નારાજગી વ્યક્ત કરી હતી. 

આરસીબીની ( Royal Challengers Bangalore ) ઈનિંગની ત્રીજી ઓવર દરમિયાન હર્ષિત રાણાએ ધીમી ફુલટોસ બોલ ફેંકી હતી. આ બોલ પર કોહલીએ બોલરને સીધો કેચ આપ્યો હતો. જો કે, કોહલીને ખાતરી હતી કે આ બોલ તેની કમરથી ઉપર છે અને તે તરત જ રિવ્યુ માટે ગયો. રિપ્લેમાં જોવા મળ્યું કે કોહલી ક્રિઝની બહાર ઊભો હતો. ત્રીજા અમ્પાયરે જોયું કે જો કોહલી તેની બેટિંગ ક્રિઝમાં હોત તો આ બોલ નો બોલ હોત. પરંતુ વિરાટ ક્રિઝની બહાર હોવાથી પરિણામે થર્ડ અમ્પાયરે ( third umpire ) કોહલીને આઉટ જાહેર કર્યો હતો.

IPL 2024: વિરાટને લાગ્યું આ નો બોલ હશે..

આ નિર્ણયથી કોહલી નારાજ થઈ ગયો હતો અને મેદાન પરના અમ્પાયર સાથે ઝઘડ્યો હતો. તે અમ્પાયરો સાથે ઉગ્ર બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. તેમજ મેદાનની બહાર જતી વખતે કોહલીએ પોતાનું બેટ પણ જમીન પર પછાડ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Second Hand iPhone: સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદો છો? તો આ વસ્તુઓ જરુરથી તપાસો, નહીં થઈ શકે છે મોટું નુકસાન…

મેચની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે ( Kolkata Knight Riders )  છ વિકેટે 222 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ફિલ સોલ્ટે 14 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. જ્યારે અય્યરે 36 બોલમાં 50 રનની ઈનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી ઓવરોમાં રમનદીપ સિંહે નવ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 24 રન ફટકારીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. તો આન્દ્રે રસેલ 20 બોલમાં 27 રન બનાવીને અણનમ રહ્યો હતો.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More