Captain of team India : હાર્દિક પંડ્યા નહીં, આયર્લેન્ડ પ્રવાસ પર આ ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન!

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ત્રણ વનડે રમશે. આ પછી ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં પાંચ ટી-20 મેચોની શ્રેણી રમશે.

by Dr. Mayur Parikh
Asia Cup 2023 points table: India eyes Super 4 qualification with win over Nepal

News Continuous Bureau | Mumbai

Captain of team India  : ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ત્રણ વનડે રમશે. આ પછી ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં પાંચ ટી-20 મેચોની શ્રેણી રમશે. આ પછી ટીમ ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવા માટે આયર્લેન્ડના પ્રવાસે જશે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પંડ્યા અને શુભમન ગિલને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે અને ટીમ ઈન્ડિયાની કમાન નવા ખેલાડીને સોંપવામાં આવી શકે છે. હવે આ અંગે મોટી માહિતી સામે આવી છે.

ટીમને મળી શકે છે નવો કેપ્ટન

ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 18, 20 અને 23 ઓગસ્ટે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમશે, પરંતુ હવે કેપ્ટનને લઈને થોડી સમસ્યાઓ ચાલી રહી છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે એશિયા કપની તૈયારી માટે બેંગલુરુમાં એક અઠવાડિયાના કેમ્પનું સૂચન કર્યું છે, જે 24-25 ઓગસ્ટથી શરૂ થવાની સંભાવના છે. એશિયા કપ 2023માં ભારત તેની પ્રથમ મેચ 2જી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. કોચ દ્રવિડ ઈચ્છે છે કે એશિયા કપ માટે પસંદ કરાયેલા તમામ ખેલાડીઓ કેમ્પમાં ભાગ લે. હાર્દિક પંડ્યા એશિયા કપમાં રમવા માટે તૈયાર છે, તેથી તે તૈયારી માટે ટીમ ઈન્ડિયાના કેમ્પમાં હાજરી આપશે અને તેને આયર્લેન્ડ શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Bhelpuri : નાની-મોટી ભૂખ સંતોષશે ચટપટી ભેલપુરી, જાણો તેને બનાવવાની સરળ રીત

આ ખેલાડી બની શકે છે કેપ્ટન

ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે છેલ્લા એક વર્ષથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, પરંતુ તે ઝડપથી ફિટ થઈ રહ્યો છે અને આયર્લેન્ડ શ્રેણીમાં તેના રમવાની તમામ શક્યતાઓ છે. એક અહેવાલ અનુસાર તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ટી-20 મેચમાં તેને ટેસ્ટ કરવા માંગે છે. બુમરાહે અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે, જેમાં ઈંગ્લેન્ડ સામે ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More