T20 WC 2024: રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે, BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી..જાણો વાઈસ કેપ્ટન કોણ છે..

T20 WC 2024: આ જાહેરાત સાથે જ તમામ અટકળોનો અંત આવી ગયો છે. BCCI સેક્રેટરી જય શાહે ત્રીજી ટેસ્ટ પહેલા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે તેમને ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર ગર્વ છે.

by Bipin Mewada
T20 WC 2024 Rohit Sharma will captain Team India in T20 World Cup, BCCI Secretary jay shah announced.

News Continuous Bureau | Mumbai 

T20 WC 2024: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( BCCI ) ના સચિવ જય શાહે ( Jay Shah ) બુધવારે (14 ફેબ્રુઆરી) પુષ્ટિ કરી હતી કે, રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ ( Team India captain ) કરશે. તો T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ( Hardik Pandya ) ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે, જ્યારે કોચિંગની જવાબદારી રાહુલ દ્રવિડ  ( Rahul Dravid )  પાસે રહેશે. આગામી T20 વર્લ્ડ કપ જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે રમાશે. 

ઉલ્લેખનીય છે કે, રોહિતના ( Rohit Sharma ) નેતૃત્વમાં ભારત સતત 10 મેચ જીતીને ODI વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ રોહિત બ્રિગેડને ટાઈટલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઇનલ રમી હતી. સેમિફાઇનલમાં હાર બાદ રોહિતે લગભગ 14 મહિના સુધી ભારત માટે એકપણ T20 મેચ રમી નથી. નોંધનીય છે કે, રોહિત છેલ્લે જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન ટી20 શ્રેણીમાં સૌથી ટૂંકા ફોર્મેટમાં પુનરાગમન કર્યું હતું.

 ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિકને ઈજા થઈ હતી….

દરમિયાન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે, જેના માટે બુધવારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શાહે કાર્યક્રમમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા ( Team India ) ભલે 2023માં ODI વર્લ્ડ કપની ફાઈનલ હારી ગયા, પરંતુ ટીમે સતત 10 મેચ જીતીને દર્શકોનું દિલ જીતી લીધું હતું. પરંતુ હું તમને વચન આપવા માંગુ છું કે અમે 30મી જૂને બાર્બાડોસમાં રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ધ્વજ ચોક્કસપણે લહેરાવીશું. નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપની ફાઈનલ 30મીએ બાર્બાડોસમાં યોજાશે.

આ સમાચાર પણ વાંચો :  UAE Hindu temple: UAE માં પહેલું હિન્દુ મંદિર, જેમાં મુસ્લિમોની જમીન, ખ્રિસ્તીઓની રચના UAE હિંદુ મંદિરમાં તમામ ધર્મોનું યોગદાન, સંવાદિતાનો અનોખો સંગમ…

જય શાહે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ 2024માં ભારતનો વાઇસ-કેપ્ટન હશે. અમે બધાએ જોયું કે ODI વર્લ્ડ કપમાં હાર્દિક કેવી રીતે ઇજાગ્રસ્ત થયો હતો, તેથી અમે વિચારી રહ્યા હતા કે સુકાનીની ભૂમિકા કોને આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિકને ઈજા થઈ હતી. બોલિંગ કરતી વખતે તેની પગની ઘૂંટી વળી ગઈ હતી. ત્યારથી હાર્દિક ક્રિકેટના મેદાનથી દૂર છે. તે IPL 2024થી પુનરાગમન કરી શકે છે. હાર્દિક IPL મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કમાન સંભાળશે. ફ્રેન્ચાઇઝીએ રોહિતના સ્થાને હાર્દિકને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.

Join Our WhatsApp Community

You may also like