T20I Captain: હાર્દિક પંડ્યાને આ કારણે હવે T20 ટીમની કમાન નહીં મળે, સૂર્યકુમાર યાદવ હાલ મજબૂત દાવેદાર.. જાણો વિગતે..

T20I Captain: રિપોર્ટ અનુસાર, રોહિત શર્માની નિવૃત્તિ બાદ, હાર્દિક પંડ્યાને T20 ફોર્મેટમાં કેપ્ટનશિપ માટે મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો, પરંતુ તેની ફિટનેસ સંબંધિત સમસ્યાઓ અને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને, સૂર્યકુમાર યાદવને આ મહત્વપૂર્ણ પદ મળી શકે છે.

by Bipin Mewada
T20I Captain Due to this, Hardik Pandya will not get the T20 team captaincy, Suryakumar Yadav is now a strong contender

News Continuous Bureau | Mumbai

T20I Captain:   હાર્દિક પંડ્યા ( Hardik Pandya ) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેના હેડલાઈન્સમાં આવવાનું કારણ છૂટાછેડા કે ઈજાના સમાચાર નથી, પરંતુ તેની કેપ્ટનશિપ છે. ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024માં મળેલી સફળતા બાદ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શર્માની નિવૃત્તિ બાદ એવી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પંડ્યાને T20 ફોર્મેટની ( T20 Cricket ) કમાન સોંપવામાં આવી શકે છે. કારણ કે લાંબા સમય સુધી રોહિતની ગેરહાજરીમાં પંડ્યા પણ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો, પરંતુ ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ હવે સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ માટે મુખ્ય વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. 

ઉલ્લેખનયી છે કે, ટીમ ઈન્ડિયા હવે  શ્રીલંકા પ્રવાસ જવાની છે, જ્યાં 3 મેચની ODI અને એટલી જ T20 સિરીઝ રમાશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, સૂર્યકુમાર યાદવને ( Suryakumar Yadav ) હાલ શ્રીલંકા પ્રવાસ પર ટી20 શ્રેણી માટે વધુ સ્થિર કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. 

T20I Captain:  કોચ અને પસંદગીકારે મંગળવારે સાંજે બંને ખેલાડીઓ સાથે વાત કરી હતી. ..

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હાર્દિકની ઉપલબ્ધતા તેને T20 ટીમનો કેપ્ટન ( Team India Captain ) બનવાથી રોકી રહી છે. અહેવાલમાં બીસીસીઆઈના ( BCCI ) એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જ્યારથી તે ટીમ ઈન્ડિયાનો વાઇસ-કેપ્ટન બન્યો છે, ત્યારથી હાર્દિક પંડ્યા કેપ્ટન રોહિત શર્માનો સ્વાભાવિક અનુગામી હતો. પરંતુ પસંદગી સમિતિ અને ગૌતમ ગંભીર ( Gautam Gambhir ) સૂર્યકુમાર યાદવ તરફ વધુ ઝુકાવ દાખવી રહ્યા છે. જો કે, આ અંગે હજુ અનિશ્ચિતતા છે. ભારત જે સિરીઝ રમે છે તેમાં હાર્દિકની ઉપલબ્ધતા તે 2026ના T20 વર્લ્ડ કપમાં સ્થિર કેપ્ટન સાથે જવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi : પ્રધાનમંત્રીએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે મેક ઇન ઇન્ડિયાની સફળતાની વાતને બિરદાવી

વધુમાં કહેવામાં આવ્યું હતું કે, કોચ અને પસંદગીકારે મંગળવારે સાંજે બંને ખેલાડીઓ સાથે વાત કરી હતી. પરિસ્થિતિ સ્પષ્ટ કરવી જરૂરી હતી. હવે તે હાર્દિક પર નિર્ભર છે કે તે મેનેજમેન્ટને તેની ઉપલબ્ધતાની ખાતરી આપે છે કે નહીં. અંતિમ નિર્ણય પસંદગી બેઠકમાં ટૂંક સમયમાં લેવામાં આવશે.

નોંધનીય છે કે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે હાર્દિક પંડ્યાએ શ્રીલંકા પ્રવાસ પર રમાનારી ODI સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હાર્દિકે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More