World Cup 2023: ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાનને ICC-BCCI પર ઢોળ્યો દોષનો ટોપલો.. આપ્યું આ મોટું નિવેદન.. જાણો શું છે આ મામલો.. વાંચો વિગતે અહીં..

World Cup 2023: ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. આ સતત આઠમી વખત છે જ્યારે ભારતીય ટીમે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આ મેચ બાદ પાકિસ્તાની ટીમ ડાયરેક્ટર મિકી આર્થરનું મોટું નિવેદન સામે આવ્યું છે.

by Hiral Meria
World Cup 2023 After the crushing defeat against India, Pakistan blamed ICC-BCCI.. gave this big statement.. know what this matter is....

News Continuous Bureau | Mumbai 

World Cup 2023: ભારતે ( India ) વર્લ્ડ કપમાં પાકિસ્તાન ( Pakistan ) સામે ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. 14 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ સતત આઠમી વખત છે જ્યારે ભારતીય ટીમે ODI વર્લ્ડ કપમાં ( ODI World Cup )  પાકિસ્તાનને હરાવ્યું છે. આ મેચ બાદ પાકિસ્તાની ટીમ ડાયરેક્ટર મિકી આર્થરનું ( Mickey Arthur ) મોટું નિવેદન સામે આવ્યું છે.

ભારત સામે મેચ હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ( Pakistan Cricket Team ) ડાયરેક્ટર મિકી આર્થરે કહ્યું, “સાચું કહું તો, ભારત અને પાકિસ્તાનની મેચ ICC ઈવેન્ટ જેવી નહોતી લાગતી. એવું લાગી રહ્યું હતું કે જાણે દ્વિપક્ષીય શ્રેણીની આ મેચ રમાઈ રહી હોય. એવું લાગી રહ્યું હતું કે આ BCCIની ઇવેન્ટ છે. મેં માઈક્રોફોનમાંથી વારંવાર દિલ-દિલ પાકિસ્તાન સાંભળ્યું નથી. તેથી આ બાબતોની અસર મેચના પરિણામ પર પડે છે પરંતુ હું તેનો બહાના તરીકે ઉપયોગ કરવા માંગતો નથી.’

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચે પણ કંઇક આવું જ કહ્યું

આર્થરે વધુમાં કહ્યું કે, ‘આ બાબત મેચમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ હું તેનો બહાનું તરીકે ઉપયોગ કરીશ નહીં, હકીકતમાં, 1 લાખ 32 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં માત્ર થોડા જ પાકિસ્તાની પ્રશંસકો જોવા મળ્યા હતા. બ્લૂ જર્સી પહેરેલા ભારતીય ચાહકોથી સ્ટેડિયમ ભરચક હતું. પાકિસ્તાન તરફથી માત્ર થોડા પત્રકારો અને કેટલાક ખાસ લોકોને મેચ જોવા માટે વિઝા આપવામાં આવ્યા હતા.’

આ સમાચાર પણ વાંચો : Supreme Court : સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના ખોટા શપથ હોવાનો દાવો કરતી અરજી ફગાવી; અરજદાર પર ફટકાર્યો આટલો મોટો દંડ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાંચો વિગતે અહીં..

પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ ગ્રાન્ટ બ્રેડબર્ને પણ કંઈક આવું જ કહ્યું હતું. બ્રેડબર્ને કહ્યું, “સ્વાભાવિક રીતે આવું જ થવાનું હતું. અમે ખરેખર દુખી છીએ કે અમારા ચાહકો અહીં આવી શક્યા નથી. તેઓને વિઝા મળ્યા નથી. તેઓને અહીં આવવું ગમશે અને મને ખાતરી છે કે ભારતીય ક્રિકેટ ચાહકો પણ અમારા ફેન્સને પસંદ કરશે. સાચું કહું તો, આ મેચમાં વર્લ્ડ કપ મેચ જેવું કંઈ જ લાગ્યું ન હતું.

હવે તમે જ કહો કે મિકી આર્થરના શબ્દો ‘નાચ ના જાને આંગન ટેઢા’ આ કહાવત સાથે મેળ ખાય છે કે નહીં ? જોકે, પાકિસ્તાનના અફસોસનું કારણ એટલું જ નથી કે તે ભારત સામે હારી ગયું. વાસ્તવમાં, તેને એ વાતનો પણ અફસોસ છે કે તે ODI વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારતને હરાવી શક્યા નહીં. સમસ્યા એ છે કે તેની પાસે હાર માટે કોઈ નક્કર બહાનું પણ નથી. હવે આવી સ્થિતિમાં પાકિસ્તાની ટીમના ડાયરેક્ટરે અમદાવાદમાં જે માહોલ જોવા મળ્યું તેની વાત શરૂ કરી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More