Site icon News Continuous Bureau | Mumbai

World Cup 2023: દિલ્હી-મુંબઈમાં મેચને લઈને BCCIનો આવ્યો આ મોટો નિર્ણય! જય શાહે આપ્યું નિવેદન.. જાણો શું છે આ મામલો…વાંચો વિગતે અહીં..

World Cup 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ નિર્ણય લીધો છે કે દિલ્હી અને મુંબઈમાં વર્લ્ડ કપ મેચ દરમિયાન અને પછી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. BCCI સેક્રેટરી જય શાહે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા આ વાતની પુષ્ટિ કરી છે.

World Cup 2023 This big decision of BCCI came about the match in Delhi-Mumbai! Jai Shah gave a statement.. Know what this matter is...

World Cup 2023 This big decision of BCCI came about the match in Delhi-Mumbai! Jai Shah gave a statement.. Know what this matter is...

News Continuous Bureau | Mumbai

World Cup 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નિર્ણય લીધો છે કે દિલ્હી (Delhi) અને મુંબઈ (Mumbai) માં વર્લ્ડ કપ (World Cup) મેચ દરમિયાન અને પછી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા આ વાતની પુષ્ટિ કરી છે.

Join Our WhatsApp Channel

આ વર્લ્ડ કપની માત્ર હવે એક મેચ દિલ્હીમાં રમાવાની છે. અહીં 6 નવેમ્બરે બાંગ્લાદેશનો મુકાબલો શ્રીલંકા સાથે થશે જ્યારે મુંબઈમાં હજુ ત્રણ મેચ રમવાની બાકી છે. પહેલા ભારતીય ટીમ અહીં 2 નવેમ્બરે શ્રીલંકા સામે રમશે. આ પછી ઓસ્ટ્રેલિયાનો મુકાબલો 7મી નવેમ્બરે અફઘાનિસ્તાન સામે થશે અને આ મેદાન 15મી નવેમ્બરે પ્રથમ સેમિફાઇનલની યજમાની કરવાની છે.

જય શાહે કહ્યું કે આ બંને શહેરોમાં વાયુ પ્રદૂષણ (Air Pollution) વધી રહ્યું છે. અમે આ મામલો ઔપચારિક રીતે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ ઉઠાવ્યો છે. અમે આ નિર્ણય વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને લીધો છે. બોર્ડ પર્યાવરણીય ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ છે. અગાઉ મંગળવારે મુંબઈ હાઈકોર્ટે મુંબઈમાં બગડતી હવાની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ પાસેથી વાયુ પ્રદુષણ અંગે જવાબ માંગ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Malaika arora: જિયો વર્લ્ડ પ્લાઝા ની ઓપનિંગ સેરેમની માં મલાઈકા અરોરાએ એવો ડ્રેસ પહેર્યો કે થઇ ગઈ ટ્રોલ, કમેન્ટ સેક્શન માં લોકોએ ઉડાવી તેની મજાક 

અમારા તમામ હિતધારકોનું સ્વાસ્થ્ય અને સલામતી અમારી પ્રાથમિકતા છે: જય શાહ…

જય શાહે કહ્યું કે BCCI મુંબઈ અને દિલ્હીમાં હવાની ગુણવત્તા અંગે લોકોની ચિંતાઓથી વાકેફ છે. અમે ICC વર્લ્ડ કપનું આયોજન એવી રીતે કરવા માંગીએ છીએ કે જે ક્રિકેટની ઉજવણી કરે, પરંતુ અમારા તમામ હિતધારકોનું સ્વાસ્થ્ય અને સલામતી અમારી પ્રાથમિકતા છે. અમે તેને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

જય શાહે કહ્યું- BCCI પર્યાવરણની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ છે. મેં ઔપચારિક રીતે ICC સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મુંબઈમાં ફટાકડા ફોડવામાં આવશે નહીં, જેથી પ્રદૂષણ ન વધે. દિલ્હી-મુંબઈમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. બંને શહેરોમાં હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ શ્રેણીમાં જઈ રહી છે.

દિલ્હી સહિત મુંબઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં હવાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. દિલ્હીની વાત કરીએ તો, 24-કલાકની સરેરાશ AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) સોમવારે 347, રવિવારે 325, શનિવારે 304 અને શુક્રવારે 261 નોંધાઈ હતી. જ્યાં મંગળવારે મુંબઈમાં AQI 172 હતો, જ્યારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 260 નોંધાયો હતો.

 

IPL 2026 Points Table। પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર! દિલ્હી બહાર થવાના આરે, કોલકાતાની જોરદાર વાપસી અને હૈદરાબાદપંજાબનું પ્રભુત્વ
IPL Honeytrap Alert। BCCIનો અત્યાર સુધીનો સૌથી કડક આદેશ! હોટલ રૂમમાં એન્ટ્રી લેતા પહેલા ખેલાડીઓએ રાખવું પડશે આ ધ્યાન
IPL 2026। વિરાટની સલાહ વિરાટને જ નડી! ૯ વર્ષ બાદ IPLમાં કોહલી સાથે બની આ ઘટના, પ્રિન્સ યાદવે ખોલ્યા અંદરના રહસ્યો
IPL Points Table। IPL પોઈન્ટ ટેબલમાં ભૂકંપ! સનરાઈઝર્સ હૈદરાબાદની જીતે વધારી પંજાબ અને RCBની મુશ્કેલી, જાણો હવે કઈ ટીમ ક્યાં છે?
Exit mobile version