Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ની મુશ્કેલી વધી, કોર્ટ માંથી નથી મળી રાહત, અભિનેતા વિરુદ્ધ આ મામલે દાખલ થયો હતો કેસ

News Continuous Bureau | Mumbai

મુઝફ્ફરનગર (Muzaffarnagar)  વિશેષ અદાલતે ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin siddique) અને તેના પરિવારના અન્ય ચાર સભ્યોને છેડતીના (Molestation) કેસમાં ક્લીનચીટ આપતો આખરી પોલીસ રિપોર્ટ (police report) પરત કરી દીધો છે, સાથે જ આ કેસમાં ફરિયાદીને અંતિમ રિપોર્ટ સાથે ન્યાયાલય માં હાજર થવાની પણ સૂચના આપવામાં આવી છે.. સ્પેશિયલ ચાઈલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ પ્રોટેક્શન (POCSO) કોર્ટના જજે આ આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Channel

નાયબ પોલીસ અધિક્ષકે  કહ્યું કે કોર્ટના નિર્દેશ પર પોલીસે આ કેસમાં ફરિયાદી અને નવાઝુદ્દીનની પત્ની આલિયાને (Aliya) જવાબ આપવા માટે કોર્ટમાં (court) હાજર થવા કહ્યું છે. કોર્ટમાં તેની હાજરી સાથે અંતિમ પોલીસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જો કે કોર્ટે આ માટે કોઈ તારીખ નક્કી કરી નથી.પ્રોસિક્યુશન (Prosecution) અનુસાર, નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકીએ 27 જુલાઈ 2020ના રોજ તેના પતિ નવાઝુદ્દીન, તેના ત્રણ ભાઈઓ મિન્હાજુદ્દીન, ફયાઝુદ્દીન અને અયાઝુદ્દીન અને તેની માતા મેહરૂન્નિસા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : હૃતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાના નાચો નાચો ડાન્સનો વીડિયો થયો વાયરલ, ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા; જુઓ વિડીયો

ફરિયાદમાં, આલિયાએ (Aliya) આરોપ મૂક્યો હતો કે 2012 માં જ્યારે તે મુઝફ્ફરનગરના (Muzaffarnagar)  બુઢાનામાં (Bhudhana) તેના સાસરે ગઈ ત્યારે તેના દિયર  મિન્હાજુદ્દીને (Minhazuddin) તેમના સંબંધી ની એક સગીર છોકરીની છેડતી કરી હતી અને બાકીના આરોપીઓએ આ કૃત્યમાં તેની મદદ કરી હતી. આલિયાએ મુંબઈના (Mumbai)વર્સોવા પોલીસ સ્ટેશનમાં (Versova police station) કેસ દાખલ કર્યો હતો, જે બાદમાં મુઝફ્ફરનગરના બુઢાના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ મુઝફ્ફરનગરની કોર્ટમાં પોતાનું નિવેદન પણ નોંધ્યું હતું.

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version