Site icon News Continuous Bureau | Mumbai

અંકિતા લોખંડેએ જણાવ્યું વિકી જૈન સાથે લગ્ન કરવાનું સાચું કારણ, કહી આ વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Channel

ગુરૂવાર

 

અભિનેત્રી અંકિતા લોખંડે છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં જ, 14 ડિસેમ્બર 2021ના રોજ, તેણે મુંબઈમાં તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા. અંકિતા લગ્ન બાદથી જબરદસ્ત હેડલાઇન્સમાં રહી છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તે વર્ષ 2021ના ભવ્ય લગ્નોમાંનું એક હતું. હવે તેણે વિકી જૈન સાથે લગ્ન કરવાનું સાચું કારણ જણાવ્યું છે.

અંકિતા લોખંડે આ દિવસોમાં તેના વેબ શો પવિત્ર રિશ્તાના રીબૂટના પ્રમોશનમાં વ્યસ્ત છે, આ શોમાં શાહીર શેખ તેનો  સહ કલાકાર છે. દરમિયાન, અંકિતાએ તેના તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કરવાનું સાચું કારણ જણાવ્યું છે. અંકિતા લોખંડેએ કહ્યું છે કે તેણીએ લગ્ન કર્યા કારણ કે તે પાર્ટી કરવા માંગતી હતી. હા, તમે બરાબર વાંચ્યું છે.અંકિતાએ તાજેતરમાં એક ન્યૂઝ એજન્સીને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં અંકિતા લોખંડેએ ખુલાસો કર્યો હતો કે તેમના લગ્ન પછી તરત જ તેણે 3 રાત માટે પાર્ટી કરી હતી.અંકિતાએ વધુમાં કહ્યું કે 'મેં લગ્ન એટલા માટે કર્યા કે હું પાર્ટી કરી શકું. તમે જાણો છો કે અમારી ત્રણ દિવસની પાર્ટી હતી? અમે ફક્ત તે પૈસા ખર્ચવા માંગતા હતા.

વાસ્તવમાં, જ્યારે અંકિતા લોખંડેને પૂછવામાં આવ્યું કે લગ્ન પછી તેના જીવનમાં શું બદલાવ આવ્યો છે. જેના પર તેણે કહ્યું કે લગ્ન પછી કોઈ બદલાવ નથી આવતો અને તેને ખબર નથી કે લોકો શું વિચારે છે કે લગ્ન પછી શું થશે. પવિત્ર રિશ્તા અભિનેત્રીએ કહ્યું કે તે લોકો તેને કેવી રીતે જુએ છે તેના પર પણ નિર્ભર છે.અંકિતાને લાગે છે કે કેટલાક લોકો લગ્નને ખૂબ જ ગંભીરતાથી લે છે. તેને પૂરી કરવાની તેઓ પોતાની જવાબદારી માને છે. જ્યારે અંકિતા માટે તે માત્ર ખુશીની વાત છે. તેણે કહ્યું કે 'અમે ખુશ છીએ અને તે જ મહત્વનું છે'.

અમેઝોન અને નેટફ્લિક્સ એ OTT માર્કેટ પર પ્રભુત્વ મેળવવા પકડ્યો બોલિવૂડ ની આ અભિનેત્રી નો હાથ, કરોડો માં ડીલ થઈ ફાઇનલ; જાણો વિગત

અંકિતા લોખંડે કહે છે કે તે અને વિકી બંને માણસ તરીકે ખૂબ જ શાંત છે. તેથી જ તેના લગ્ન પછી તેના જીવનમાં બહુ બદલાવ આવ્યો નથી. તેણી કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વિકી તેની સપોર્ટ સિસ્ટમ છે અને તેને તેના જીવનસાથી તરીકે મેળવીને તે ખૂબ જ ખુશ છે. અંકિતાએ કહ્યું કે વિકી તેને જ કામ કરવા માટે કહે છે. અભિનેત્રીએ કહ્યું, 'જ્યારે કામની વાત આવે છે ત્યારે હું એક સરળ વ્યક્તિ છું અને તે જ મને કામ તરફ ધકેલે છે'.

Jackie Shroff Last Will જેકી શ્રોફે શેર કરી ‘લાસ્ટ વિલ’, પુત્ર ટાઈગરના નામે ન કરી વસિયત; જાણો અભિનેતાની અનોખી ઈચ્છા
HanuMan Ansh Sequel ૨ કરોડના બજેટ સામે ૨૯૦૭% નફો, બ્લોકબસ્ટર સફળતા બાદ સીકવલની સત્તાવાર જાહેરાત; ડિરેક્ટરે જણાવ્યું આગળ કયો અધ્યાય જોવા મળશે
Darshan Jariwala On Separation ‘તેણે જ છેલ્લી ઘડીએ છૂટાછેડાની ના પાડી હતી’, અપરા મહેતાના આરોપો પર દર્શન જરીવાલાનો પલટવાર
Ramayana Hanuman Mystery ‘રામાયણ’ ટ્રેલર રામરાવણ દેખાયા પણ હનુમાન ક્યાં? મેકર્સની માસ્ટરસ્ટ્રોક રણનીતિ
Exit mobile version