Site icon

લકી અલી પછી હવે પરેશ રાવલના મૃત્યુની અફવા ઊડી, પરેશ રાવલે આપ્યો મજાકિયો જવાબ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

બોલિવુડના સુપરહિટ ઍક્ટરમાંથી એક એવા પરેશ રાવલના મૃત્યુની અફવા ઊડી. સોશિયલ મીડિયા પર આ અફવા એવી વાયરલ થઈ ગઈ કે લોકો શંકા-કુશંકા કરવા માંડ્યા. આખરે પરેશ રાવલે પોતે આ અફવાનું ખંડન કર્યું. જોકે તેમણે અફવાનો મજાકિયો જવાબ આપ્યો.

વાત એમ હતી કે પરેશ રાવલના ફોટોગ્રાફ સાથે એમ લખવામાં આવ્યું કે પરેશભાઈ સવારે સાત વાગ્યે આપણને છોડીને ચાલ્યા ગયા છે. જવાબમાં પરેશ રાવલે લખ્યું કે માફ કરજો હું સાત વાગ્યા પછી સૂઈ ગયો હતો.

હવે સંજય ગાંધી નૅશનલ પાર્ક, બોરિવલી ખાતે ડ્રાઇવ-ઇન વેક્સિનેશન સેન્ટર બનશે

ઉલ્લેખનીય છે કે અનેક સિનેસ્ટારના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે અને એની સાથે જ અનેકનાં મૃત્યુની અફવા પણ ઊડી રહી છે. આ પરિસ્થિતિમાં પરેશ રાવલના જવાબથી સોશિયલ મીડિયા પર એક અફવા પર બ્રેક લાગી ગઈ હતી.

 

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version