Site icon News Continuous Bureau | Mumbai

પવિત્ર રિશતાની નવી સિઝનમાં આ પૉપ્યુલર અભિનેતા નિભાવશે માનવનું પાત્ર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

 

ઝી ટીવી પર વર્ષ 2009થી 2014 સુધી લગાતાર ટૉપ શોમાં પોતાનું સ્થાન બનાવી રાખનાર ધારાવાહિક પવિત્ર રિશતાની બીજી સિઝન જલદી લાવવાની વાત ચાલી રહી છે. આ ધારાવાહિકથી સુશાંત અને અંકિતા માનવ અને અર્ચનાના રૂપમાં ઘરે-ઘરે જાણીતાં બન્યાં હતાં. બે વર્ષ બાદ સુશાંતે ટીવી ઇન્ડસ્ટ્રી છોડી દીધી અને ફિલ્મોમાં કામ કરવા લાગ્યો હતો. હવે વર્ષો બાદ એક વાર ફરી માનવ અને અર્ચનાની જોડી પાછી આવી રહી છે. હવે દર્શકોનાં મનમાં બસ એક જ સવાલ છે કે હવે માનવનું પાત્ર કોણ નિભાવશે? મીડિયાના જણાવ્યા અનુસાર સુશાંત સિંહ રાજપૂતના માનવના કિરદારમાં શાહિર શેખ નિભાવતો નજર આવી શકે છે. આ અગાઉ શાહિર શેખે મહાભારતમાં અર્જુનનું પાત્ર અને હાલ તે એરિકા ફર્નાન્ડીઝ સાથે કુછ રંગ પ્યાર કે ઐસે ભીની બીજી સિઝનમાં નજર આવી રહ્યો છે પવિત્ર રિશતાની બીજી સિઝનમાં અર્ચનાનું પાત્ર અંકિતા લોખંડે જ નિભાવશે.

સુશાંત સિંહની એક નહીં અનેક લવ સ્ટોરી અધૂરી રહી; આટલી અભિનેત્રીઓ સાથે હતું અફેર

શાહિર શેખના નામ પર હજી સુધી મેકર્સ તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલ તો એ જ માનવામાં  આવે છે કે શાહિર અને અંકિતા નવાં અર્ચના અને માનવ હશે.

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version