ખાવાનો શોખીન દિલીપ જોશીએ જિમમાં ગયા વગર ઘટાડ્યું 10 કિલો વજન, જાણો કેવી રીતે?

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

ગુરુવાર

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક ઘરનો પ્રિય શો છે. આ શો 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના તમામ કલાકારોએ લોકોનાં દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. સાથે જ દિલીપ જોશી અને દિશા વાકાણી દરેકના ફેવરિટ છે. ખરેખર, દિલીપ જોશીએ તેનું વજન 10 કિલો ઘટાડ્યું છે. ભૂતકાળમાં તેનું વજન વધ્યું હતું, ત્યાર બાદ તેને થોડી તકલીફ લાગી અને પછી તેણે વજન ઘટાડવાનું વિચાર્યું. જેઓ સતત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને જોતા હોય તેમણે જેઠાલાલનું વજન ઘટતું જોયું હશે. દિલીપ જોશીના ઘણા ચાહકોને પણ લાગ્યું કે કદાચ દિલીપ બીમાર છે, જેના કારણે તેણે અચાનક વજન ઘટાડી દીધું છે. જોકે વાસ્તવમાં એવું નથી, આની પાછળનું કારણ કંઈક બીજું છે.

આ વાત થોડી જૂની છે. દિલીપ જોશીએ પોતાનું વજન ઘટાડવાનું રહસ્ય જાહેર કર્યું. તેણે પોતાનો આહાર નિયમિત કર્યો હતો. આમ કરીને તેણે પોતાનું વજન 10 કિલો ઘટાડ્યું હતું. ખાવાનો શોખીન હોવાને કારણે શરૂઆતમાં દિલીપ માટે પરેજી પાળવી થોડી મુશ્કેલ હતી, પરંતુ સકારાત્મક પરિણામોએ તેને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યો.

અભિષેક બચ્ચને હાથની સર્જરી બાદ ફરી શરૂ કર્યું શૂટિંગ, કહ્યું : ‘મર્દ કો દર્દ નહીં હોતા’; જાણો વિગત

દિલીપ જોશીએ એક મીડિયા હાઉસ સાથે પોતાના આહાર વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'મારા વ્યસ્ત સમયપત્રકને કારણે મને જિમમાં જવાનો સમય મળતો નથી. એથી મેં યોગ્ય આહાર લેવાનું શરૂ કર્યું, જેણે મને લગભગ 10 કિલો વજન ઘટાડવામાં મદદ કરી. મને લાગે છે કે તંદુરસ્ત જીવનશૈલી ખૂબ મહત્ત્વની છે અને એના માટે વજન ઓછું કરવું પણ મહત્ત્વનું હતું. હકારાત્મક પરિણામથી હું ખૂબ જ ખુશ છું.’

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More