Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા…’ના ‘નટુકાકા’ના દીકરાએ જણાવ્યું મૃત્યુ પહેલાં નટુકાકાની હાલત કેવી હતી, છેલ્લી ઘડીમાં પિતા કરવા લાગ્યા હતા આવી હરકત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાની ભૂમિકા ભજવીને દર્શકોનાં દિલ પર રાજ કરનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું તાજેતરમાં નિધન થયું છે. મહિનાઓ સુધી કૅન્સર જેવા જીવલેણ રોગ સામે લડ્યા પછી, ઘનશ્યામ નાયકે 3 ઑક્ટોબરના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. ઘનશ્યામ નાયક લગભગ એક વર્ષ સુધી કૅન્સર જેવા જીવલેણ રોગ સામે લડ્યા અને સ્વસ્થ થયા પછી કામ પર પાછા ફર્યા. પરંતુ એક માર્ચથી તેમની હાલત ફરી બગડી અને તેમણે આ દુનિયા છોડી દીધી. ઘનશ્યામ નાયકના પુત્રે તેમના છેલ્લા સમય વિશે જણાવ્યું.

આ અભિનેતાને એક વખત હોટલમાં વાસણ ધોવાની ફરજ પડી હતી, જાણો અભિનેતાની ખાસ વાતો

એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે અભિનેતાની અંતિમ ક્ષણો વિશે વાત કરી હતી. વિકાસે જણાવ્યું કે 'પિતાએ 9 કિમોથેરપી સત્રો કર્યાં હતાં. ગયા વર્ષે 5 કિમોથેરપી સત્રો હતાં અને આ વર્ષે 4. આ પછી તેમણે 30 રેડિયેશન સત્રો પણ કર્યાં. સારવાર દરમિયાન એવું લાગતું હતું કે પાપાની સ્થિતિ સુધરી રહી છે, પરંતુ જ્યારે આ વર્ષે માર્ચ 2021ના મહિનામાં પપ્પાનો ચહેરો સૂજી ગયો, ત્યારે અમે વિચાર્યું કે તે રેડિયેશનની અસર હોઈ શકે છે. એ જ સમયે જ્યારે અમે ફરીથી પરીક્ષણ કરાવ્યું, ત્યારે જાણવા મળ્યું કે કૅન્સર હવે તેમનાં ફેફસાંમાં ફેલાઈ ગયું છે. વિકાસે આગળ કહ્યું, 'વચ્ચે, જ્યારે પાપાની તબિયતમાં થોડો સુધારો થયો, ત્યારે તેમણે 'તારક મહેતા…'ના શૂટિંગમાં પાછા જવાનો આગ્રહ કર્યો. એટલું જ નહીં, તેમણે એક જાહેરાત પણ શૂટ કરી, પરંતુ જ્યારે તેમનું ફરીથી પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કૅન્સર હવે તેમના શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ગયું છે. 2 ઑક્ટોબરે જ્યારે મારા પિતાએ મને પૂછ્યું, હું કોણ છું? તે પોતાનું નામ પણ ભૂલી ગયા હતા. તે ક્ષણે મને સમજાયું કે હવે તેમણે દુનિયા છોડવાનું શરૂ કરી દીધું છે.

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version