Site icon News Continuous Bureau | Mumbai

બબિતાજી એટલે કે મુનમુન દત્તાના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડવાના સમાચાર ઉપર પડદો પડી ગયો, શો મેકર અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં વર્ષોથી બબિતાજીની ભૂમિકાથી ફૅમસ થયેલી મુનમુન દત્તા વિવાદોમાં ફસાયેલી છે. મુનમુન દત્તાએ થોડા દિવસો પહેલાં જ પોતાના એક વીડિયોમાં આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. એના કારણે તેને ટ્રૉલ થવું પડ્યું હતું તેમ જ તેની સામે ઘણી ફરિયાદ પણ થઈ હતી. આ ઘટના પછી મુનમુન જાહેરમાં માફી માગી ચૂકી છે, પરંતુ હવે શોના નિર્માતાઓ આવી ઘટનાઓથી બચવા માટે વિશેષ રીત લઈને આવ્યા છે. હવે અન્ડરટેકિંગ પર શોના કલાકારો દ્વારા સહી કરાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન સર્જાય. રિપૉર્ટ અનુસાર, અસિત મોદીનું માનવું છે કે મુનમુન દત્તાની માફી પછી પણ આ વિવાદ શાંત નથી થયો. જેના કારણે નિર્માતાઓ દ્વારા શોના કલાકારો પાસે અન્ડરટેકિંગ પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ સોશિયલ મીડિયા પર કોઈ આપત્તિજનક, જાતિવાદી અથવા અપમાનજનક શબ્દનો ઉપયોગ ન કરે.

છેલ્લા કેટલાક દિવસથી બબિતાજી સેટ પરથી ગાયબ? શું બબિતાજીએ શો છોડી દીધો? જાણો વિગત

ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અસિત મોદી ઇચ્છે છે કે મુનમુન દત્તાનો ટ્રેક થોડા દિવસો માટે ન લખાય, જેથી સેટ પર કોઈ વિવાદ ન થાય. એક મહિનાથી શોમાં બબિતાજી એટલે કે મુનમુન દત્તા જોવા નથી મળી રહી. તેના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ હવે આ મામલે શોના મેકર અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે. અસિત મોદીએ કહ્યું કે મુનમુન દત્તા હજી પણ આ શોનો ભાગ છે અને તે ક્યાંય નથી ગઈ.

Jackie Shroff Last Will જેકી શ્રોફે શેર કરી ‘લાસ્ટ વિલ’, પુત્ર ટાઈગરના નામે ન કરી વસિયત; જાણો અભિનેતાની અનોખી ઈચ્છા
HanuMan Ansh Sequel ૨ કરોડના બજેટ સામે ૨૯૦૭% નફો, બ્લોકબસ્ટર સફળતા બાદ સીકવલની સત્તાવાર જાહેરાત; ડિરેક્ટરે જણાવ્યું આગળ કયો અધ્યાય જોવા મળશે
Darshan Jariwala On Separation ‘તેણે જ છેલ્લી ઘડીએ છૂટાછેડાની ના પાડી હતી’, અપરા મહેતાના આરોપો પર દર્શન જરીવાલાનો પલટવાર
Ramayana Hanuman Mystery ‘રામાયણ’ ટ્રેલર રામરાવણ દેખાયા પણ હનુમાન ક્યાં? મેકર્સની માસ્ટરસ્ટ્રોક રણનીતિ
Exit mobile version