News Continuous Bureau | Mumbai
Aakhiri Sawaal| બોલિવૂડ અભિનેતા સંજય દત્તની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ ફિલ્મ પોતાની વિષયવસ્તુને કારણે રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મનો નવો પ્રોમો સીધો એક એવો પ્રશ્ન પૂછે છે જેના પર વર્ષોથી રાજકીય અને સામાજિક ચર્ચાઓ થતી રહી છે “૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં ખરેખર શું થયું હતું?”
ફિલ્મના પ્રોમોમાં ઉઠાવેલા ગંભીર સવાલો
આ ફિલ્મ આરએસએસ (RSS) ના ઈતિહાસની આસપાસ વણાયેલી છે. ફિલ્મના ટીઝર અને પ્રોમોમાં એવા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જે અત્યાર સુધી ચર્ચાના વિષય રહ્યા છે, જેમ કે- શું આરએસએસ મહાત્મા ગાંધીની હત્યા પાછળ હતું? શું બાબરી મસ્જિદ તોડવા પાછળ આરએસએસનો હાથ હતો? અને ઈમરજન્સી દરમિયાન આરએસએસની ભૂમિકા શું હતી? આવા સવાલો ઉઠાવીને મેકર્સે પ્રેક્ષકોમાં ભારે ઉત્સુકતા અને વિવાદ બંને પેદા કર્યા છે.
સમીરા રેડ્ડીની વાપસી
આ ફિલ્મ સાથે અભિનેત્રી સમીરા રેડ્ડી પણ લાંબા સમય બાદ મોટા પડદે પરત ફરી રહી છે. ફિલ્મ વિશે વાત કરતા સમીરાએ જણાવ્યું કે, “મેં ફિલ્મોમાં વાપસી માત્ર સેફ રોલ કરવા માટે નથી કરી. ‘આખરી સવાલ’ એ બિલકુલ કમ્ફર્ટેબલ ફિલ્મ નથી. આરએસએસ વિશે મારી સમજ ઘણી ઓછી અને અધૂરી હતી, પરંતુ સ્ક્રિપ્ટ વાંચ્યા પછી મને સમજાયું કે ઘણી વાતો એવી નથી જેવી તે દેખાય છે.”
નિર્માણ અને રિલીઝ ડેટ
આ ફિલ્મના નિર્દેશક નેશનલ એવોર્ડ વિજેતા અભિજીત મોહન વારંગ છે, જ્યારે તેના નિર્માતા નિખિલ નંદા અને સંજય દત્ત પોતે છે. ફિલ્મની વાર્તા અને સંવાદો ઉત્કર્ષ નૈથાનીએ લખ્યા છે. આ વિવાદાસ્પદ અને ઐતિહાસિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મ ‘આખરી સવાલ’ આગામી ૮ મે, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
👉 આ સમાચાર વાચો:
Veteran actor Dinesh Hingoo| ૮૬ વર્ષની ઉંમરે દિગ્ગજ કલાકાર દિનેશ હિંગૂ પર આફત સારવાર માટે પૈસા નથી, કામની શોધમાં ભટકી રહ્યા છે અભિનેતા!