Site icon

Aamir khan: ‘તમારે હવે સેટલ થઇ જવું જોઈએ’ કપિલ શર્મા ના આ સવાલ નો આમિર ખાને આપ્યો મજેદાર જવાબ

Aamir khan: આમિર ખાન કપિલ શર્મા ના શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો માં જોવા મળશે. આ દરમિયાન કપિલે તેના ત્રીજા લગ્ન વિશે સવાલ પૂછ્યો જેનો આમિર ખાને કઈ પણ બોલ્યા વગર મજેદાર જવાબ આપ્યો.

aamir khan reacts to his third marriage plan in kapil show

aamir khan reacts to his third marriage plan in kapil show

News Continuous Bureau | Mumbai

Aamir khan: આમિર ખાન તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ  ને લઈને પણ ચર્ચામા રહે છે. એ તો સૌ કોઈ જાણે છે કે આમિર ખાને બે વાર લગ્ન કર્યા છે અભિનેતા ના પહેલા લગ્ન રિના દત્તા સાથે થયા હતા. ત્યારબાદ આમિર ખાન ના બીજા લગ્ન કિરણ રાવ સાથે થયા હતા. હાલ અભિનેતા સિંગલ છે. આમિર ખાન તાજેતર માં કપિલ શર્મા ના શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો માં પહોંચ્યો હતો. જેમાં કપિલ શર્મા એ તેના ત્રીજા લગ્ન વિશે સવાલ પૂછ્યો હતો જેનો જવાબ આમિર ખાને કઈ પણ બોલ્યા વગર મજેદાર રીતે આપ્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mukesh ambani: મુકેશ અંબાણી એ વગર કોઈ વર્કઆઉટ કરે ઘટાડ્યું 15 કિલો વજન, જાણો બિઝનેસ ટાયકૂન ની દિનચર્યા વિશે

આમિર ખાને આપ્યો ત્રીજા લગ્ન પર મજેદાર જવાબ 

નેટફ્લિક્સ એ તેના સોશિયલ મીડિયા પર ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો નો એક પ્રોમો વિડીયો રિલીઝ કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, આમિર ખાન કપિલ ના શો માંકપિલ શર્મા અને અન્ય કોમેડિયનો સાથે ખૂબ મસ્તી કરી રહ્યો છે. ત્યારબાદ કપિલ શર્માએ આમિર ખાનને પૂછ્યું, ‘શું તમને નથી લાગતું કે હવે તમારે પણ સેટલ થઈ જવું જોઈએ?’ કપિલ શર્મા ના આ જવાબ પર આમિર ખાન કઈ પણ બોલ્યા વગર માત્ર હસ્યો. આમિર ખાન નું આવું રિએક્શન જોઈ તેના ચાહકો ખુશ થઇ ગયા છે. 


તમને જણાવી દઈએ કે આમિર ખાને વર્ષ 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર જુનૈદ અને પુત્રી ઇરા  છે. રિના સાથે છૂટાછેડા લીધા બાદ આમિર ખાને વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર આઝાદ છે. હવે આમિર ખાને કિરણ રાવ સાથે પણ છૂટાછેડા લીધા છે. અને હાલ આમિર ખાન સિંગલ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version