News Continuous Bureau | Mumbai
Aamir khan: આમિર ખાન બોલિવૂડ નો મિસ્ટર પરફેક્ટનિસ્ટ અભિનેતા છે. આમિર ખાન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. આમિર ખાને પહેલા રિના દત્તા સાથે અને ત્યારબાદ કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. હવે આમિર ના ત્રીજા લગ્ન ને લઈને લોકોના મનમાં સવાલ ઉભા થઇ રહ્યા છે. તાજેતર માં આમિર રિયા ચક્રવર્તી ના પોડકાસ્ટ માં પહોંચ્યો હતો જ્યાં તેને તેના ત્રીજા લગ્ન વિશે ખુલાસો કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Vaani kapoor birthday: હોટલ માં નોકરી કરી ચુકેલી વાણી કપૂર આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે
આમિર ખાને તેના ત્રીજા લગ્ન ને લઈને કહી આવી વાત
તાજેતર માં આમિર ખાન રિયા ચક્રવર્તી ના પોડકાસ્ટ માં પહોંચ્યો હતો જેમાં આમિર ખાન ને તેના ત્રીજા લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબ માં આમિર ખાને જણાવ્યું કે, ‘હું 59 વર્ષનો છું. મને નથી લાગતું કે હું ફરીથી લગ્ન કરીશ. મને તે મુશ્કેલ લાગી રહ્યું છે. અત્યારે મારા જીવનમાં ઘણા સંબંધો છે. હું ફરીથી મારા પરિવાર સાથે જોડાયેલો છું. મારે બાળકો, ભાઈઓ અને બહેનો છે. હું મારી નજીકના લોકોથી ખુશ છું. વધુ સારી વ્યક્તિ બનવા માટે કામ કરી રહ્યો છું.’
View this post on Instagram
આમિર ખાન એ પહેલા રિના દત્તા સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેને બે બાળકો ઇરા ખાન અને જુનૈદ ખાન છે ત્યારબાદ આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેન એક દીકરો આઝાદ ખાન છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)