News Continuous Bureau | Mumbai
Abhishek Bachchan: અભિષેક બચ્ચન હાલમાં તેની નવી ફિલ્મ ‘કાલીધર લાપતા’ માટે ચર્ચામાં છે, જે ZEE5 પર રિલીઝ થઈ છે અને દર્શકો તરફથી પોઝિટિવ પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં એક વેબ પોર્ટલ સાથેના ઇન્ટરવ્યૂમાં તેણે તેના પરિવાર, ડિનર ટેબલની વાતો અને સોશિયલ મીડિયા પર ચાલતી ગોસિપ્સ વિશે ખુલાસો કર્યો.
આ સમાચાર પણ વાંચો : The Traitors Finale: પ્રાઈમ વિડીયો ને મળ્યો પ્રથમ ટ્રેટર, શોની વિજેતા બની ઉર્ફી જાવેદ અને નિકિતા લૂથર, પ્રાઇસ મની માં જીતી અધધ આટલી રકમ
ફેમિલી ડિનર ટેબલ પર શું ચર્ચા થાય છે?
અભિષેકે જણાવ્યું કે “હા, ક્યારેક કામ વિશે વાત થાય છે, પણ ઘણીવાર એવી સામાન્ય વાતો પણ થાય છે જે દરેક પરિવારમાં થાય છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં મોટો થયો છું, એટલે મને ખબર છે કે કઈ વાતને ગંભીરતાથી લેવી અને કઈ ને નહીં.” અભિષેકે સ્પષ્ટ કહ્યું કે “મને કોઈ ફરક નથી પડતો કે સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે. કદાચ મારા ભાણા અગસ્ત્ય ને અસર થાય, કારણ કે તે નવી પેઢીનો છે. પણ સમય સાથે તમે શીખી જાઓ છો કે કઈ વાતને મહત્વ આપવું અને કઈને અવગણવી.”
View this post on Instagram
તાજેતરમાં અભિષેક અને ઐશ્વર્યા રાય ના છૂટાછેડા ની અફવાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી. છતાં અભિષેકે કોઈ નિવેદન આપ્યું નહીં.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)