News Continuous Bureau | Mumbai
Abhishek bachchan: અભિષેક બચ્ચને ગઈકાલે તેનો 48 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસે ઐશ્વર્યા રાયે એક પ્રેમભરી નોટ સાથે બે તસવીરો પોસ્ટ કરી હતી આ સાથે તેને નોટ માં લખ્યું હતું,’તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તમને સુખ, પ્રેમ, શાંતિ અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપે. આમ જ ચમકતા રહો!’ હવે અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઐશ્વર્યા રાય વિશે વાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની એક ઝલક મેળવવા જલસા ની બહાર જામી લોકોની ભીડ, બિગ બી એ આ રીતે કર્યું તેમના ચાહકો નું અભિવાદન
અભિષેક બચ્ચને કરી આરાધ્યા વિશે વાત
અભિષેક બચ્ચને એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે, “આરાધ્યા માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. પરંતુ, મને મારો જન્મદિવસ કામમાં પસાર કરવો ગમે છે. મારો જન્મદિવસ ઉજવવાની શ્રેષ્ઠ રીત એ છે કે તે દિવસે કામ કરવું. મેં 1998માં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. મેં મારી કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારથી લઈને આજદિન સુધી હું કામ કરું છું. મને યાદ છે કે હું મારા 23માં જન્મદિવસે જેપી દત્તા સાહેબ સાથે શૂટિંગ કરી રહ્યો હતો.” આ વાતચીત માં અભિષેક બચ્ચને ઐશ્વર્યા ને એક સારી માતા પણ ગણાવી હતી.
View this post on Instagram
અભિષેકે આ ઇન્ટરવ્યૂ માં ઐશ્વર્યા રાય સાથે કામ કરવા ને લઈને કહ્યું, “મને તેની સાથે કામ કરવાની ખરેખર મજા આવે છે. અમને ઘણા ચાહકોના મેલ આવે છે. તેઓ અમને કહે છે કે તેઓ અમને ફરીથી સાથે જોવા માંગે છે. હું તે પ્રશંસકોને કહેવા માંગુ છું કે અમે પોતે ફરી સાથે કામ કરવા માંગીએ છીએ. જો અમે સાથે કામ કરીશું તો અમને ખુશી થશે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)