Site icon

કોરોનાએ વધુ એક અભિનેતાનો લીધો ભોગ: સારી સારવાર માટે વડાપ્રધાન સહિતના પાસે માંગી’તી મદદ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ઘાતક પુરવાર થઇ રહી છે. લાખો લોકો આ ખતરનાક વાયરસથી મરી રહ્યા છે. સ્ટાર્સ પણ આ વાયરસની ઝપેટમાં ઝડપથી આવી રહ્યા છે. ઘણા સ્ટાર્સ જીવનની લડત હારી ગયા છે. હવે યુ-ટયુબ અને ફેસબુક ઉપર લાખો ચાહકો ધરાવનારા અભિનેતા રાહુલ વોહરાનું રવિવારે કોરોનાને કારણે નિધન થયું છે. ખાસ વાત તો એ છે કે, તેણે નિધનના થોડા કલાકો પહેલાં જ ફેસબૂક પર મદદ માંગી હતી.  

બે વર્ષ પહેલા ધડાકાભેર તૂટી પડેલો મુંબઇના સીએસટી નો હિમાલય બ્રિજ પાછો બનશે. આટલા કરોડ રૂપિયા ખર્ચ થશે.

નિધનના થોડા કલાકો પહેલાં અભિનેતા રાહુલે ફેસબુક પર પોસ્ટ શેર કરીને પોતાની લાચારી વ્યક્ત કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, “જો મને યોગ્ય રીતે સારવાર મળી હોત તો હું બચી જાત…” રાહુલે એમ પણ લખ્યું હતું કે, “હું હવે હિંમત હારી ગયો છું. ફરીથી જન્મ લઈશ અને સારું કામ કરીશ.” આની સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ટેગ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રાહુલે અન્ય એક પોસ્ટમાં તેનાં ઇલાજ માટે મદદ માંગી હતી. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, “હું કોવિડ પોઝિટિવ છુ અને હાલમાં હોસ્પિટલમાં દાખલ છું. આશરે 4 દિવસ થઇ ગયા છે પણ કોઇ જ રિકવરી નથી. શું કોઇ એવી હોસ્પિટલ છે? જ્યાં મને ઓક્સિજન બેડ મળી શકે. કારણ કે મારું ઓક્સીજન લેવલ સતત ઘટી રહ્યું છે અને કોઇ જોવા વાળુ નથી. હું બહુ મજબૂર થઈને આ પોસ્ટ કરી રહ્યો છું કેમ કે પરિવારજનો પરિસ્થિતિ સંભાળી શકે તેવી સ્થિતિમાં નથી.”

હવે આ રાજ્યમાં મહારાષ્ટ્રથી આવનારાઓ માટે નો એન્ટ્રી.

આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડનો રાહુલ ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય ચહેરો હતો. તે નેટફ્લિક્સ સિરીઝ અનફ્રીડમમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રાહુલએ ખૂબ જ સારું કામ કર્યું હતું. ચાહકોએ તેમની પ્રશંસા કરી હતી. 

Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version