‘આદિપુરુષ’ ના નિર્માતા ની વધી મુશ્કેલી, હવે આ મામલે ફિલ્મ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો વિગત

adipurush controversy film in legal trouble fir filed against makers
'આદિપુરુષ' ના નિર્માતા ની વધી મુશ્કેલી, હવે આ મામલે ફિલ્મ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ચર્ચાનું કારણ ફિલ્મ સાથે જોડાયેલો વિવાદ છે. પ્રથમ તો દર્શકોને આ ફિલ્મના સંવાદો બિલકુલ પસંદ આવ્યા નથી. બીજું, ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે પણ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે અને એક વર્ગ સતત ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે. દરમિયાન, નિર્માતાઓની મુસીબતમાં વધુ વધારો થયો છે કારણ કે ફિલ્મ કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલી જોવા મળી રહી છે. હવે લખનઉના હઝરતગંજ કોતવાલી ખાતે ‘આદિપુરુષ’ના નિર્માતાઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

 

આદિપુરુષ ના નિર્માતા વિરુદ્ધ  દાખલ થઇ FIR

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને લખનૌના હઝરતગંજ કોતવાલી માં તહરીર આપવામાં આવી છે. અખિલ ભારત હિંદુ મહાસભાએ ફિલ્મ ‘આદિપુરુષ’ની સ્ટારકાસ્ટ, ડાયલોગ રાઈટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર વિરુદ્ધ આ તહરિર આપી છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ માંગ કરી છે કે જો નેપાળમાં ફિલ્મ ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ લગાવી શકાય છે તો ઉત્તર પ્રદેશ સરકારે પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.અખિલ ભારત હિન્દુ મહાસભાએ નિર્માતાઓ પર ફિલ્મમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ફિલ્મમાં સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. ભગવાન રામ, હનુમાનજી અને સીતા માતાનું પણ ખોટું નિરૂપણ અને ખોટા સંવાદો બતાવીને અપમાન કરવામાં આવ્યું હતું. આજના બાળકોના મનમાં આપણા ભગવાન પ્રત્યેની આવી છબી ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેથી જ તેઓએ ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મૂકવાની માંગણી ઉઠાવી છે.

 

યોગી આદિત્યનાથ ને લખવામાં આવ્યો પત્ર 

આ સિવાય રાષ્ટ્રીય લોકદળે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મૂકવા માટે પત્ર લખ્યો છે. રાષ્ટ્રીય લોકદળના પ્રદેશ પ્રમુખ વ્યાપારી એ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરતો પત્ર લખ્યો છે.તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે ‘આદિપુરુષ’માં અભદ્ર અને ફૂવડ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં આવા સંવાદો છે, જે સનાતન આસ્થા અને સનાતન પ્રેમીઓના હૃદયને ઠેસ પહોંચાડે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા રામાયણના તમામ પાત્રો રામાયણની વાર્તાથી તદ્દન વિરુદ્ધ છે. આ આપણા ધાર્મિક પુસ્તકો અને આપણી સંસ્કૃતિ પર હુમલો છે.

આ સમાચાર પણ વાંચો: રિલીઝ થતા ની સાથે જ કાનૂની મુસીબત માં આવી ‘આદિપુરુષ’, ફિલ્મ સામે દાખલ થઇ દિલ્હી હાઈકોર્ટમાં અરજી,કરવામાં આવી આ માંગણી

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!