આદિપુરુષ નો વિવાદ જારી, ફિલ્મ ના ડાયરેક્ટર ઓમ રાઉત સહિત અન્ય લોકો સામે નોંધાઈ FIR, જાણો સમગ્ર મામલો

મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આદિપુરુષ' સતત લાઈમલાઈટમાં રહી છે. આ અંગે દરરોજ કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. પહેલા લોકોએ તેના ટીઝરને લઈને હોબાળો મચાવ્યો હતો. જે બાદ મેકર્સે તેને ફરીથી એડિટ કરવું પડ્યું હતું. રિલીઝ ડેટ લંબાવવી પડી. અને હવે તેના નવા પોસ્ટરમાં એક કિસ્સો સામે આવ્યો છે.

by Zalak Parikh
adipurush poster controversy complaint filed against prabhas and kriti sanon

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ ફરી મુશ્કેલીમાં છે. હાલમાં જ તેનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જે હવે વિવાદમાં આવી ગયું છે. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર અને કલાકારોના નામે મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોતાને સનાતન ધર્મના ઉપદેશક ગણાવતા સંજય દીનાનાથ તિવારીએ આ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મના પોસ્ટરથી હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

 

પોસ્ટર પર વિવાદ

મુંબઈ હાઈકોર્ટ ના બે એડવોકેટ દ્વારા આદિપુરુષના નવા પોસ્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ નિર્માતાએ હિન્દી ધાર્મિક પુસ્તક “રામચરિતમાનસ” ના પાત્રને અયોગ્ય રીતે દર્શાવ્યું છે. બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ના નવા રિલીઝ થયેલા પોસ્ટરમાં હિન્દુ ધર્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 295 (A), 298, 500, 34 હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ સાથે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ રામચરિતમાનસ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન ચરિત્ર પર બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ બનાવવામાં આવી છે. સનાતની ધર્મ ઘણા યુગોથી આ પવિત્ર ગ્રંથ “રામચરિતમાનસ” ને અનુસરે છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને “રામચરિતમાનસ”માં ઉલ્લેખિત તમામ પૂજનીય પાત્રોનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ફરિયાદીએ જણાવ્યું કે બોલિવૂડ ફિલ્મ આદિપુરુષના રિલીઝ પોસ્ટરમાં રામાયણના તમામ કલાકારોને જનોઈ પહેર્યા વિના દર્શાવવામાં આવ્યા છે. જે ખોટું છે.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

કાયદો અને વ્યવસ્થા બગડવાની ચેતવણી

તેમજ,રિલીઝ થયેલા પોસ્ટરમાં, કૃતિ સેનનને સિંદૂર વગરની અપરિણીત મહિલા તરીકે બતાવવામાં આવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તેને એક અપરિણીત મહિલા તરીકે બતાવવામાં આવી રહી છે. ફરિયાદીનું કહેવું છે કે બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારોએ જાણી જોઈને આવું કર્યું છે. આમ કરીને તેઓ સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે. આ ખૂબ જ નિંદનીય છે. આદિપુરુષના પોસ્ટરમાં હિન્દુ ધર્મનું અપમાન થયું છે. જેના કારણે ભવિષ્યમાં ભારતના વિવિધ રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા માટે ચોક્કસપણે ખતરો ઉભો થઈ શકે છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં આદિપુરુષનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં લીડ સ્ટાર્સ પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ અને દેવદત્ત જોવા મળ્યા હતા. જોકે પોસ્ટર ચાહકોને વધારે પ્રભાવિત કરી શક્યું નથી. યુઝર્સે તેની ખૂબ મજાક ઉડાવી અને તેને કાર્ટૂન ફિલ્મ ગણાવી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More