Site icon

Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો

Dhurandhar 2: સિનેમેટોગ્રાફર વિકાસ નૌલખાના કામથી ગદગદ થયા ડાયરેક્ટર; કહ્યું - ૩૦ વર્ષની રાહ જોયા બાદ આ ફિલ્મે તેમની કલ્પનાને સાકાર કરી

Aditya Dhar Calls Cinematographer Vikas Nowlakha the 'Soul' of Dhurandhar 2;

Aditya Dhar Calls Cinematographer Vikas Nowlakha the 'Soul' of Dhurandhar 2;

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2: બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી રહેલી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવન્જ’ ના દિગ્દર્શક આદિત્ય ધરે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. આદિત્યએ ફિલ્મના મુખ્ય કલાકાર રણવીર સિંહને બદલે સિનેમેટોગ્રાફર વિકાસ નૌલખાને ફિલ્મની ‘આંખ અને આત્મા’ ગણાવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના BTS (બિહાઈન્ડ ધ સીન્સ) ફોટા શેર કરતા આદિત્યએ વિકાસના સમર્પણ અને મહેનતની ભારોભાર પ્રશંસા કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Yami Gautam Fees Dhurandhar 2: થોડી મિનિટોના રોલ માટે યામી ગૌતમે લીધી અધધ ફી, બોલિવૂડમાં મચ્યો ખળભળાટ

શૂટિંગના ગણતરીના દિવસો પહેલા જોડાયા હતા વિકાસ

આદિત્ય ધરે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે વિકાસ નૌલખા શૂટિંગ શરૂ થવાના થોડા દિવસો પહેલા જ પ્રોજેક્ટ સાથે જોડાયા હતા. આદિત્યના મતે, વિકાસનું ટીમમાં જોડાવું એ માત્ર એક સંયોગ નહીં પણ ‘નસીબ’ (Destiny) હતું. સ્ક્રિપ્ટ વાંચતાની સાથે જ વિકાસે કહ્યું હતું કે, “મેં આવી ફિલ્મ કરવા માટે ૩૦ વર્ષ સુધી રાહ જોઈ છે અને હું આના માટે મારું જીવન સમર્પિત કરી દઈશ.” તેમણે પોતાના શબ્દોને સાચા સાબિત કરીને ફિલ્મને અદભૂત વિઝ્યુઅલ લુક આપ્યો છે.


ફિલ્મનું શૂટિંગ અત્યંત મુશ્કેલ સંજોગોમાં થયું હતું. આદિત્યએ લખ્યું કે અમૃતસરની દઝાડતી ગરમી અને લેહની હાડ થીજવતી ઠંડી વચ્ચે પણ વિકાસ એક ખડકની જેમ મક્કમ ઉભા રહ્યા હતા. ફિલ્મના સમય અને બજેટની મર્યાદા વચ્ચે પણ તેમણે કલાત્મકતા સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. વિકાસે ફિલ્મનો આખો ભાર ખરેખર પોતાના ખભા પર ઉઠાવ્યો હતો અને ડાયરેક્ટરની કલ્પનાને પડદા પર જીવંત કરી હતી.વિકાસ નૌલખા બોલીવુડના જાણીતા અને અનુભવી સિનેમેટોગ્રાફર છે. તેમણે આ અગાઉ ‘રોકેટ સિંઘ: સેલ્સમેન ઓફ ધ યર’, ‘લાપતા લેડીઝ’ અને ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન – શિવા’ જેવી મોટી ફિલ્મોમાં અદભૂત કામ કર્યું છે. હવે ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ ની ભવ્ય સિનેમેટોગ્રાફી દ્વારા તેમણે ફરી એકવાર પોતાની પ્રતિભા સાબિત કરી છે. આદિત્ય ધરની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે રણવીરની એક્શન પાછળ વિકાસની પેની નજરનો મોટો ફાળો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Ramayanam Leak: રણબીર કપૂરનો રામાયણમાં ‘માસ્ટરસ્ટ્રોક’: એક જ ફિલ્મમાં બે અવતાર, જાણો રામ સાથે બીજું કયું પાત્ર છે
Dhurandhar 2: ‘ધુરંધર ૨’ ના સેટ પર રાકેશ બેદીનો જાદુ! પોતે જ ઉમેર્યો એવો ડાયલોગ કે આખું યુનિટ ખડખડાટ હસી પડ્યું.
Ramayanam Cast: શું તમે ઓળખો છો ‘રામાયણમ્’ ના ઈન્દ્રને? અમિતાભ બચ્ચન સાથે છે ખાસ કનેક્શન, રણભૂમિમાં યશ સાથે ટકરાશે
Exit mobile version