Site icon

ઉદિત નારાયણ ના ગાયક સુપુત્ર આદિત્ય આ તારીખે ખાસ લોકોની હાજરીમાં મંદિરમાં કરશે લગ્ન..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

27 નવેમ્બર 2020

બોલિવૂડના પ્રસિદ્ધ પ્લેબેક સિંગર ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઇ રહ્યો છે. તાજેતરમાં જ આદિત્યએ મંગેતર સાથેની પહેલી તસવીર શેર કરીને જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી અભિનેત્રી શ્વેતા અગ્રવાલને ડેટ કરી રહ્યો હતો. જે બાદ જ આદિત્યની રોકાની તસવીર સામે આવી હતી. હવે આદિત્યના લગ્નની તારીખ પણ જાહેર થઇ છે.

આપને જણાવી દઈએ કે આદિત્ય નારાયણ તથા શ્વેતા અગ્રવાલની રોકા સેરેમની આ મહિનાની શરૂઆતમાં થઈ હતી.

એક અહેવાલ મુજબ આદિત્ય નારાયણે કહ્યું હતું કે અમે પહેલી ડિસેમ્બરના રોજ લગ્ન કરવાના છીએ. કોરોનાને કારણે અમે માત્ર નજીકના પરિવારના સદસ્ય તથા કેટલાક મિત્રોને બોલાવીશું. મહારાષ્ટ્રમાં લગ્નમાં 50થી વધુ લોકોને આમંત્રણ આપવાની મંજૂરી ન હોવાથી અમે મંદિરમાં લગ્ન કરીશું અને પછી નાનકડું રિસેપ્શન પણ કરીશું.

 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આદિત્ય નારાયણે સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની વાત કરતાં કહ્યું હતું કે, અમે લગ્ન કરવાના છીએ. હું નસીબદાર છું કે મને શ્વેતા મળી. મારી સાથી, 11 વર્ષ અગાઉ અને હવે અમે આખરે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યાં છીએ. 

Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ના વાયરલ ફોટોથી શીખ સમુદાયમાં રોષ! પાઘડી અને સિગારેટના વિવાદ પર આદિત્ય ધરે કર્યો મોટો ખુલાસો
Toaster Movie Release Date: તારીખ નોંધી લેજો! રાજકુમાર રાવની ‘ટોસ્ટર’ આ OTT પ્લેટફોર્મ પર મચાવશે ધૂમ, સાન્યા મલ્હોત્રા સાથે જોવા મળશે અનોખો અંદાજ
Khwab Dekhoon Song Out: અરિજીત સિંહના અવાજ નો જાદુ! ‘એક દિન’નું ગીત ‘ખ્વાબ દેખૂં’ રિલીઝ, જુનૈદ અને સાઈ પલ્લવીની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ
Ranveer Singh Body Transformation: રણવીરનો રીઅલ ‘ધુરંધર’ અંદાજ: ‘હમઝા’ અને ‘જસકીરત’ બનવા માટે શરીરમાં કર્યા મોટા ફેરફાર, જાણો રણવીરની અદભૂત ફિટનેસ જર્ની
Exit mobile version