Site icon News Continuous Bureau | Mumbai

આદિત્ય સિંહ રાજપૂતના મોત પર પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો, ચોકીદાર નું નિવેદન આવ્યું સામે

:જાણીતા એક્ટર, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. આ મામલે પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

aditya singh rajput death police made a shocking disclosure on the death of actor watchman

આદિત્ય સિંહ રાજપૂતના મોત પર પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો, ચોકીદાર નું નિવેદન આવ્યું સામે

News Continuous Bureau | Mumbai

અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતના આકસ્મિક અવસાનથી મનોરંજન ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. તે સોમવારે અંધેરીમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલમાં જ પોલીસે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેને જાણીને તમારું મન હચમચી જશે. મુંબઈ પોલીસે અભિનેતાની આસપાસના લોકો સાથે વાત કરી અને તેમને ઘણી બધી બાબતો જાણવા મળી.

Join Our WhatsApp Channel

 

પોલીસે કરી આદિત્યની નોકરાણી ની પુછપરછ 

મીડિયા ને પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં પોલીસ શરૂઆતમાં માને છે કે આદિત્ય સિંહ રાજપૂત સોમવારે તેના અંધેરી એપાર્ટમેન્ટમાં કથિત રીતે લપસીને અને બાથરૂમમાં પડી જવાથી મૃત્યુ પામ્યા હતા. એક પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે રાજપૂતને કાનની ઉપરના ભાગે અને માથામાં ઈજા સહિત બે ઈજાઓ થઈ હતી, જે પડી જવાની શક્યતા દર્શાવે છે. પોલીસે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી આદિત્યની તબિયત સારી ન હતી. નોકરાણીએ પોલીસને જણાવ્યું કે અભિનેતાને ઉધરસ, શરદી અને ઉલ્ટી થઈ રહી હતી, આદિત્યએ પણ રવિવારે પાર્ટી કરી હતી. નોકરાણીના નિવેદન મુજબ, રાજપૂત સોમવારે સવારે 11 વાગ્યે ઉઠ્યો અને તેણે નાસ્તામાં પરાઠા ખાધા, પરંતુ તે પછી તેને સતત ઉલ્ટી થવા લાગી, ત્યારબાદ તેણે રસોઈયાને ખીચડી બનાવવા કહ્યું. બપોરે 2 થી 2.30 વાગ્યાની વચ્ચે આદિત્ય સિંહ રાજપૂત બાથરૂમમાં ગયો હતો. તેનો ઘરનો નોકર જોરથી પડવાનો અવાજ સાંભળીને તેને જોવા દોડી ગયો, આદિત્ય જમીન પર પડી ગયો હતો અને તેને સામાન્ય ઈજા પણ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો: RRR ના આ અભિનેતા નું થયું નિધન, 58 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

આદિત્ય ના વોચમેને કર્યો આ ખુલાસો 

ચોકીદારના નિવેદન મુજબ, જ્યારે તે ગયો ત્યારે બાથરૂમની કેટલીક ટાઈલ્સ પણ તૂટેલી હતી, ઘરનો મદદગાર નીચે દોડી ગયો અને ચોકીદારને મદદ માંગી. ચોકીદાર ઉપરના માળે ગયો અને બેહોશ થઈ ગયેલા રાજપૂતને પલંગ પર સુવડાવ્યો. સોસાયટીની બહાર આવેલી હોસ્પિટલમાંથી ડોક્ટરને લઈ આવ્યા. ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં ખસેડવાનું સૂચન કર્યું, ત્યારબાદ આદિત્યની મહિલા મિત્રને જાણ કરવામાં આવી અને પોલીસને જાણ કરવામાં આવી. આદિત્યને જોગેશ્વરીની ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, આજે સવારે 11 વાગ્યે સિદ્ધાર્થ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પરિવારની મંજૂરી પર આજે જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version