Site icon

ઋષિ કપૂર અને નીતુના રસ્તે ચાલી રહ્યો છે પુત્ર રણબીર કપૂર, આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ કરશે આ કામ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.એવું કહેવાય છે કે બંને એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.હવે એવી પણ ખબર સામે આવી છે કે બંને મુંબઈ ના ચેમ્બુર વિસ્તારમાં સ્થિત આરકે બંગલોઝમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.. જે આરકે ઘરાનાનો પૈતૃક બંગલો છે. અહીં નીતુ કપૂર અને ઋષિ કપૂરના લગ્ન થયા હતા.

Join Our WhatsApp Community

તાજેતરના અહેવાલો અનુસાર બંને પારંપારિક પંજાબી સ્ટાઈલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.આ પછી બંને ગુરુદ્વારામાં લંગર ખવડાવતા પણ જોવા મળશે.તાજેતરની માહિતી અનુસાર, નીતુ કપૂર અને ઋષિ કપૂરે પણ આ જ પ્રક્રિયા અપનાવી હતી.રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ભલે ગુરુદ્વારામાં વ્યક્તિગત રીતે હાજર ન હોય પરંતુ તેમના નામે લંગર ચલાવી શકાય છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને 13 એપ્રિલથી ઉજવણી શરૂ થશે. લગ્નને લગતી તમામ વિધિઓ મિત્રો અને પરિવારની હાજરીમાં કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાણી આ દિવસથી તેમની ફિલ્મનું શરૂ કરશે શૂટિંગ, આ હિરોઈન સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરશે કિંગ ખાન; જાણો વિગત

રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાના છે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન આલિયા અને રણબીર વચ્ચે બોન્ડ બની ગયું હતું. ફિલ્મના શૂટિંગની સાથે જ બંનેના સંબંધો પણ બંધાતા ગયા અને બંને રિલેશનશિપમાં આવ્યા.

Rashmika Vijay wedding: લગ્નની અટકળો વચ્ચે વિજય દેવરકોંડાનું ઘર રોશનીથી ઝળહળ્યું, રશ્મિકા મંદાના સાથેના વીડિયોએ જીત્યા દિલ
Mardaani 3 OTT Release: શું તમે ‘મર્દાની 3’ જોવાનું ચૂકી ગયા છો? જાણો કયા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે રાનીની આ ફિલ્મ.
Vivek Agnihotri Operation Sindoor Film: ઉરી’ જેવો જ ધમાકો! વિવેક અગ્નિહોત્રીએ ‘ઓપરેશન સિંદૂર’ માટે મિલાવ્યો ભૂષણ કુમાર સાથે હાથ; જાણો શું છે આ મિશનની વાર્તા
Yeh Rishta Kya Kehlata Hai Latest Update: ‘યે રિશ્તા…’ માં નવી એન્ટ્રીથી મચશે ખળભળાટ! શું અભીરા અને મુક્તિના સંબંધોમાં આવશે કાયમી તિરાડ?
Exit mobile version