News Continuous Bureau | Mumbai
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ના છૂટાછેડા અંગે વારંવાર અફવાઓ ફેલાય છે. હવે એડ ગુરુ પ્રહલાદ કક્કડ એ આ અફવાઓ પર સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે એશ્વર્યા હંમેશા મર્યાદામાં રહી છે અને ઘરની વહુ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.આ સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ ખુલાસો કર્યો
આ સમાચાર પણ વાંચો : Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
એશ્વર્યા પોતાની માતા સાથે સમય વિતાવે છે
પ્રહલાદ કક્કડ, જે એશ્વર્યા રાયની માતા વૃંદા રાયની બિલ્ડિંગમાં રહે છે, કહે છે કે એશ્વર્યા પોતાની માતાની તબિયતને લઈને ચિંતિત રહે છે. તે પોતાની દીકરીને સ્કૂલમાં મુકવા અને લેવા જાય છે અને આ દરમિયાન માતા સાથે થોડો સમય વિતાવે છે. ઘણીવાર અભિષેક પણ તેની માતા ને મળવા આવે છે.આ વાતને લોકો છૂટાછેડા સાથે જોડે છે, જે ખોટું છે.કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે એશ્વર્યા જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન સાથે તણાવ અનુભવે છે. આ અંગે પ્રહલાદે કહ્યું કે, “એશ્વર્યા ઘરની વહુ છે અને આજે પણ ઘરના કામકાજમાં ભાગ લે છે. લોકો શું કહે છે એથી કોઈ ફરક નથી પડતો.”
View this post on Instagram
પ્રહલાદે ઉમેર્યું કે, “અભિષેક અને એશ્વર્યા ક્યારેય આ અફવાઓ પર પબ્લિકમાં કોઈ પ્રતિસાદ આપતા નથી. એશ્વર્યા હંમેશા મર્યાદા જાળવે છે અને એ જ કારણ છે કે લોકો તેમને જોઈને ઈર્ષા કરે છે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)