Site icon News Continuous Bureau | Mumbai

અજય દેવગણને પ્રશ્ન, નરેન્દ્ર મોદી અને ઇન્દિરા ગાંધી વચ્ચે કોણ મજબૂત છે? જાણો અભિનેતાનો જવાબ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

તાજેતરમાં અજય દેવગણની ફિલ્મ ‘ભુજ…’ રિલીઝ થઈ છે. આ ફિલ્મ પછી અજય દેવગણની આવી ઘણી ટિપ્પણીઓ આવી છે, જે ચર્ચામાં છે. આ ફિલ્મની વાર્તા 1971ના ભારત-પાક યુદ્ધ પર છે. આવી સ્થિતિમાં અજયે ભારતના ઇતિહાસ અને વડા પ્રધાનો સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોના જવાબો પણ આપ્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે ઈન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે તેઓ કોને વધુ સારા વડા પ્રધાન માને છે?

રિયા ચક્રવર્તીએ અફઘાનિસ્તાનની મહિલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી, કહ્યું : તેમને વેચવામાં આવી રહી છે

‘ભુજ : પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ વિશે ઇન્ટરવ્યૂ દરમિયાન અજય દેવગણને પૂછવામાં આવ્યું કે 1971માં ઈન્દિરા ગાંધી દેશનાં વડાં પ્રધાન હતાં, ત્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી. તમારા મતે બેમાંથી કોણ વધુ શક્તિશાળી છે? આ માટે અજય દેવગણે કહ્યું, તમે બંનેની તુલના કરી શકતા નથી. એ સમયે તેમણે જે કર્યું એ યોગ્ય હતું. મોદી આજે જે કરી રહ્યા છે એ યોગ્ય છે. તમે બે લોકો અને બે પરિસ્થિતિઓની તુલના કરી શકતા નથી. અજય દેવગણે બીજી વાતચીતમાં એમ પણ કહ્યું કે દેશનો ઇતિહાસ છુપાયો છે. તેમણે કહ્યું કે ભારતનો વાસ્તવિક ઇતિહાસ બહાર લાવવો ખૂબ જ જરૂરી છે જેથી વર્તમાન પેઢીને ખબર પડે કે દેશ કોના બલિદાન પર ઊભો છે. પહેલાં બ્રિટિશરોએ ઇતિહાસને દબાવ્યો. મોગલો પહેલાં, આપણા રાજાઓએ જે કર્યું એ પણ દબાવી દેવામાં આવ્યું, તો આજે આપણા ઇતિહાસ કરતાં આપણા ઇતિહાસનાં પુસ્તકોમાં વધુ વિદેશી ઇતિહાસ છે.

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version