News Continuous Bureau | Mumbai
Akshaye Khanna Fitness Secret: ફિલ્મ ‘ધુરંધર’ માં પોતાની એક્ટિંગથી ધૂમ મચાવનાર અક્ષય ખન્ના અત્યારે પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં છે. એક સમયના ચોકલેટી હીરો હવે પાવરફુલ નેગેટિવ રોલથી લોકોના દિલ જીતી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ખુલાસો કર્યો કે તેઓ આ ઉંમરે પણ પોતાની શારીરિક અને માનસિક ક્ષમતા કેવી રીતે જાળવી રાખે છે.
આ સમાચાર પણ વાંચો : Katrina Kaif and Vicky Kaushal: કેટરિના કૈફ અને વિક્કી કૌશલે જાહેર કર્યું પુત્રનું નામ: ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ક્યુટ તસવીર, જાણો શું છે અર્થ
ક્યારેય નથી કરતા ‘બ્રેકફાસ્ટ’
અક્ષય ખન્નાએ જણાવ્યું કે તેઓ ક્યારેય સવારનો નાસ્તો (Breakfast) નથી કરતા. આ સાંભળીને ઘણાને નવાઈ લાગશે, પણ તેઓ સવારે કશું જ ખાવાનું પસંદ નથી કરતા. એટલું જ નહીં, તેઓ દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારના સ્નેક્સ કે નાસ્તો પણ લેતા નથી.અક્ષય ખન્નાનું ભોજન અત્યંત સાદું, શુદ્ધ અને મર્યાદિત હોય છે. તેઓ જિમ જઈને ભારે વર્કઆઉટ કરવાને બદલે ખોરાક પર વિશેષ નિયંત્રણ રાખવામાં વધુ વિશ્વાસ ધરાવે છે. તેમના ડાયટની વાત કરીએ તો, બપોરના ભોજનમાં તેઓ માત્ર દાળ અને ભાત જેવો સાદો ખોરાક લેવાનું પસંદ કરે છે, જ્યારે સાંજના સમયે તેઓ માત્ર ચા પીવાનું જ પસંદ કરે છે. આ સાદગી અને સંયમ જ તેમને લાંબા સમય સુધી ફિટ રાખવામાં મદદરૂપ બને છે.
અક્ષય ખન્ના માને છે કે શરીર અને મગજ વચ્ચે સંતુલન જાળવવા માટે આરામ સૌથી મહત્વનો છે. તેઓ દરરોજ 10 કલાકની ઊંઘ લે છે. તેમના મતે પૂરતી ઊંઘ જ તેમને સેટ પર એક્ટિવ રાખે છે અને ચહેરા પરનો ગ્લો જાળવી રાખે છે.રસપ્રદ વાત એ છે કે જે નામના અને શોહરત અક્ષય ખન્નાને લીડ હીરો તરીકે ન મળી, તે તેમને એક નેગેટિવ પાત્રે અપાવી દીધી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
