News Continuous Bureau | Mumbai
Allu arjun: અલ્લુ અર્જુન ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી.અલ્લુ અર્જુન ની સંધ્યા થિયેટર માં નાસભાગ દરમિયાન મહિલા ની થયેલ મૃત્યુ ના સંદર્ભ માં ધરપકડ કરવામાં આવી હતી જોકે બાદ માં તેને છોડી દેવામાં પણ આવ્યો હતો. હવે આ મામલે ગઈકાલે અલ્લુ અર્જુન ના હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સના નિવાસસ્થાન પર ઉસ્માનિયા યુનિવર્સીટી ના કેટલાક સભ્યો એ તોડફોડ કરી હતી. અને અલ્લુ અર્જુન ની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું
આ સમાચાર પણ વાંચો : Mukesh ambani: મુકેશ અંબાણી એ વગર કોઈ વર્કઆઉટ કરે ઘટાડ્યું 15 કિલો વજન, જાણો બિઝનેસ ટાયકૂન ની દિનચર્યા વિશે
ઉસ્માનિયા યુનિવર્સીટી ના સભ્યો એ અલ્લુ અર્જુન ના ઘર પર ફેંક્યા ટામેટા
રિપોર્ટ મુજબ ઉસ્માનિયા યુનિવર્સીટી ના સભ્યો એ અલ્લુ અર્જુન હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સના નિવાસસ્થાન પર બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને અલ્લુ અર્જુન ના ઘર પર ટામેટા ફેંક્યા હતા તેમજ તેના નિવાસસ્થાન પર તોડફોડ કરીને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે જ તેમને સંધ્યા થિયેટર માં નાસભાગ દરમિયાન 35 વર્ષીય મહિલાના થયેલ મૃત્યુ પર તેના પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી
Breaking News: STONE ATTACK ON ALLU ARJUN’s RESIDENCE#OUJAC members attacked #AlluArjun ’s house by throwing stones. pic.twitter.com/8gurVqnHws
— Jananaayakan News (@jananaayakan) December 22, 2024
પોલીસે દરમિયાનગીરી કરી અને યુનિવર્સિટીની જોઈન્ટ એક્શન કમિટી (JAC) ના આઠ સભ્યોની ધરપકડ કરી, જેમને બાદમાં જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)