Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે અમિતાભ બચ્ચને શેર કરી પોસ્ટ, ઈશારામાં લખી એવી વાત કે ચાહકો થઇ ગયા ખુશ

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. તેવામાં અમિતાભ બચ્ચન ની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે જેમાં તેમને તેમના પરિવાર વિશે વાત લખી છે.

by Zalak Parikh
amid abhishek aishwarya divorce rumours amitabh bachchan lashes out on unverified speculators

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના સંબંધ સારા નથી ચાલી રહ્યા ઘણા સમય થી બંને ના છૂટાછેડા ના સમાચાર સામે આવી રહ્યા છે તાજેતર માં ઐશ્વર્યા એ તેની દીકરી ના જન્મદિવસ ની તસવીરો શેર કરી હતી જેમાં બચ્ચન પરિવાર જોવા નહોતો મળ્યો જેને કારણે બંને ના છૂટાછેડા ને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી હવે આ બધાની વચ્ચે અમિતાભ બચ્ચન ની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે જેમાં તેમને તેમના પરિવાર વિશે વાત લખી છે. 

આ સમાચાર પણ વાંચો : Kundali bhagya: શ્રદ્ધા આર્યા બાદ આ લીડ અભિનેતા એ કુંડલી ભાગ્ય ને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

અમિતાભ બચ્ચન ની પોસ્ટ 

અમિતાભ બચ્ચને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “અલગ રહેવા માટે ઘણી હિંમત, વિશ્વાસ અને સત્યની જરૂર પડે છે… હું મારા પરિવાર વિશે બહુ ઓછી વાત કરું છું કારણ કે તે મારું ડોમેન છે અને હું તેની ગોપનીયતા જાળવી રાખું છું. .અટકળો માત્ર અટકળો છે.. અને હું સમાજ સેવા માટેના તેમના પ્રયાસોની પ્રશંસા કરું છું, પરંતુ જૂઠ અને પસંદગીયુક્ત રીતે પૂછાયેલી માહિતી તેમના માટે કાનૂની રક્ષણ હોઈ શકે છે…પરંતુ આ જ પ્રશ્નાર્થ દ્વારા શંકાસ્પદ વિશ્વાસના બીજ વાવવામાં આવે છે.”


પોતાની પોસ્ટ માં અમિતાભ બચ્ચને વધુ માં લખ્યું, “તમે જે ઈચ્છો તે લખો, વ્યક્ત કરો.. પરંતુ જ્યારે તમે તેના પછી પ્રશ્નાર્થ ચિહ્ન મુકો છો, ત્યારે તમે ફક્ત એમ જ નથી કહેતા કે લેખ શંકાસ્પદ હોઈ શકે છે.. પણ તમે ગુપ્ત રીતે ઇચ્છો છો કે વાચક તેના વિશે વિચારે. તેને આગળ પણ લઈ જાઓ, જેથી તમારા લેખને મૂલ્ય મળે.તમારી સામગ્રી તો ખતમ થઇ જાય છે, માત્ર તે એક ક્ષણ માટે નહીં, પરંતુ જ્યારે વાચકો તેના પર પ્રતિક્રિયા આપે છે, ત્યારે તેઓ સામગ્રીને આગળ લઈ જાય છે. પ્રતિક્રિયા નકારાત્મક અથવા હકારાત્મક હોઈ શકે છે. પણ ગમે તે હોય, લેખને વિશ્વસનીયતા આપો.” અમિતાભ બચ્ચન ની આ પોસ્ટ સામે આવ્યા બાદ તેમના છાકો ને વિશ્વાસ થઇ રહ્યો છે કે અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર માં કોઈ તથ્ય નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More