Site icon News Continuous Bureau | Mumbai

સદી ના મહાનાયક માટે ખૂબ જ ખાસ છે આ હનુમાનજીનું મંદિર-જાણો શા માટે દર વર્ષે આપે છે હાજરી

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન હિન્દી ફિલ્મ જગતનું એવું નામ અને વ્યક્તિત્વ છે કે તેમના વિશે લખવા બેસીએ તો પુસ્તક પણ ઓછું પડે. ફિલ્મી દુનિયામાં આજે બિગ બી(Amitabh bachchan) જ્યાં છે, ત્યાં પહેલા ભાગ્યે જ કોઈ આવ્યું હશે. આ જ કારણ છે કે તેને સદીનો મહાનાયક કહેવામાં આવે છે. જે ઉંમરમાં લોકો નિવૃત્તિ બાદ ઘરે બેઠા હોય છે, તે ઉંમરે પણ બિગ બી યુવાનોની જેમ જોરશોરથી કામ કરે છે. બિગ બી 11 ઓક્ટોબરે પોતાનો 80મો જન્મદિવસ(birthday) ઉજવવા જઈ રહ્યા છે. આ ખાસ અવસર પહેલા અમે બિગ બીના જીવન સાથે જોડાયેલી વાતો તમારા માટે શેર કરી રહ્યા છીએ. આજે અમે તમારા માટે અમિતાભ બચ્ચનની ધર્મ અને ભગવાનમાં શ્રદ્ધા લઈને આવ્યા છીએ.

Join Our WhatsApp Channel

અમિતાભ બચ્ચન ઘણીવાર એક યા બીજા પ્રસંગે સિદ્ધિવિનાયક મંદિરની(Siddhivinayak temple) મુલાકાત લે છે. જો કે, એક વખત તેમના વ્લોગમાં અમિતાભે લખ્યું હતું કે જ્યારે પણ તેઓ મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યારે તે સમયે તેઓ તેમની મુલાકાતની જાણ કરવા માટે કોઈ મીડિયા વ્યક્તિને આમંત્રણ આપતા નથી. કારણ કે તે માને છે કે ધાર્મિક હોવું તેનો અધિકાર છે અને તે નથી ઈચ્છતો કે કોઈ તેના પર સવાલ ઉઠાવે. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન પહેલા અને પછી ઘણી વખત તેઓ સિદ્ધિવિનાયક મંદિરમાં ખુલ્લા પગે જતા જોવા મળ્યા છે.એવું કહેવાય છે કે સદીના મહાન નાયક હનુમાનજીના પરમ ભક્ત છે. હકીકતમાં, બિગ બીને પ્રયાગરાજના(prayagraj) સંગમ કિનારે સ્થિત સુતેલા હનુમાન મંદિરમાં ઊંડી આસ્થા છે. દર વર્ષે તેમના પ્રતિનિધિ મુંબઈથી(Mumbai) પ્રયાગરાજ આવે છે અને આ મંદિરમાં પ્રાર્થના કરે છે. આ રીતે બિગ બી આ હનુમાન મંદિરમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. તેઓ દર શનિવાર અને મંગળવારે તેમના પિતા ડૉ. હરિવંશરાય બચ્ચન સાથે આ મંદિરમાં જતા હતા. સાથે તેમના નાના ભાઈ અજિતાભ પણ હતા.

આ સમાચાર પણ વાંચો : જ્યારે અમિતાભ બચ્ચન સાત દિવસ સુધી રહ્યા હતા નહાયા વગર-કારણ જાણીને તમે પણ બિગ બી ને પાઠવશો અભિનંદન

પ્રયાગરાજના સુતેલા હનુમાન મંદિરમાં બિગ બીની ઊંડી શ્રદ્ધા પાછળ એક કિસ્સો છે કે વર્ષ 1982માં જ્યારે ફિલ્મ ‘કુલી’ના(collie) શૂટિંગ દરમિયાન અમિતાભ ઘાયલ થયા હતા અને તેમની તબિયત બગડી હતી, ત્યારે બિગ બીના પિતા ડૉ. હરિવંશ રાય બચ્ચને આ મંદિરમાં પૂજા-પાઠ કરાવ્યા હતા. યજ્ઞ પૂર્ણ થયાના દિવસે હવન કરતી વખતે ખબર પડી કે અમિતાભ હવે સ્વસ્થ થઈ ગયા છે. આ ઘટના બાદથી અમિતાભ બચ્ચનની આ મંદિર અને બજરંગબલી પ્રત્યેની આસ્થા વધુ વધી છે અને દર વર્ષે તેઓ અહીં પોતાની હાજરી આપતા રહ્યા છે. અમિતાભના ભાઈ અજિતાભે પણ મંદિરમાં 51 કિલોની પિત્તળની ઘંટડી લગાવી છે.

Met Gala 2026 Guest List| મેટ ગાલા 2026 માં બોલિવૂડનો દબદબો કરણ જોહર કરશે ડેબ્યૂ, શું દીપિકારણવીર રેડ કાર્પેટ પર સાથે દેખાશે? જાણો કોણ કોણ થશે સામેલ
Anupamaa Public Reactions। રાહી કોઠારીની બદતમીઝી જોઈને દર્શકો ભડક્યા, ગૌતમ અને વસુંધરાની ચાલાકી તેમને જ ભારે પડી
Yami Gautam Aditya Dhar| ‘ધુરંધર 2’ ની સફળતા બાદ પત્ની માટે ‘બેબી સિટર’ બન્યા આદિત્ય ધર યામી ગૌતમે શૂટિંગમાં વ્યસ્ત રહેવા વચ્ચે પરિવારના સપોર્ટ સિસ્ટમના કર્યા વખાણ
Tumbbad 2 Casting| ‘તુમ્બાડ 2’માં કોણ બનશે ડરામણી વાર્તાનો હિસ્સો? પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સહિત આ દિગ્ગજ અભિનેત્રીઓના નામ રેસમાં
Exit mobile version