News Continuous Bureau | Mumbai
Amitabh Bachchan: 12 જૂને અમદાવાદ થી લંડન જતી એર ઈન્ડિયા ફ્લાઈટ AI171નું દુર્ઘટનાગ્રસ્ત થવું એ દેશ માટે એક મોટો આઘાત હતો. 242 મુસાફરોમાંથી 241ના મૃત્યુ થયા હતા 13 જૂને બપોરે 12:53 વાગ્યે અમિતાભ બચ્ચન એ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું:– “હે ભગવાન ! હે ભગવાન ! હે ભગવાન ! સ્તબ્ધ ! સુન્ન ! ઈશ્વર કૃપા ! હૃદયથી પ્રાર્થનાઓ !” તેમના મોડા પ્રતિસાદને લઈને સોશિયલ મીડિયા પર લોકો નારાજ થયા છે.
આ સમાચાર પણ વાંચો : Sunjay Kapur: કરોડપતિ અહીં અરબોપતિ હતો કરિશ્મા કપૂર નો પૂર્વ પતિ, જાણો મૃત્યુ પછી તેમણે પાછળ કેટલી સંપત્તિ છોડી?
“મહાનાયક હવે જાગ્યા?” – યુઝર્સના સવાલ
લોકોએ અમિતાભ ના ટ્વીટ પર કમેન્ટ કરીને પૂછ્યું કે જ્યારે સમગ્ર દેશ શોકમાં ડૂબેલો હતો, ત્યારે તેઓ ક્યાં હતા? એક યુઝરે લખ્યું: “જ્યારે આકાશમાંથી મૃતદેહો વરસી રહ્યા હતા, ત્યારે મહાનાયકની ઊંઘ તૂટી… હવે ‘સ્તબ્ધ’ અને ‘સુન્ન’ થઈને ટ્વીટ કર્યું?”બીજાએ લખ્યું: “ઘટના ગઈકાલે થઈ, ટ્વીટ આજે… જયા જીએ ના પાડી હતી?”
T 5410 – हे भगवान ! हे भगवान ! हे भगवान !
स्तब्ध ! सुन्न !
ईश्वर कृपा ! हृदय से प्रार्थनाएँ !
🙏— Amitabh Bachchan (@SrBachchan) June 13, 2025
12 જૂને બપોરે 1:38 વાગ્યે એર ઇન્ડિયા ની ફ્લાઇટ અમદાવાદ થી લંડન જવા રવાના થઈ હતી. ટેકઓફ પછી તરત જ વિમાન મેઘાણીનગર નજીકના સરકારી હોસ્પિટલના હોસ્ટેલ પર તૂટી પડ્યું માત્ર એક મુસાફર જીવતો બચ્યો – વિશ્વાસકુમાર રમેશ, તેઓ સીટ નંબર 11A પર બેઠેલા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)