Amitabh Bachchan: રામનવમી ના દિવસે રામ જન્મભૂમિથી આરતી અને ધાર્મિક વિધિઓનું થશે પ્રસારણ, અમિતાભ બચ્ચન કરશે આ વિશેષ કામ

Amitabh Bachchan: રામ નવમીના અવસરે ઓટીટી પર અયોધ્યાથી એક ખાસ લાઈવ સ્ટ્રીમિંગ થશે, જે અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે.

by Zalak Parikh
amitabh bachchan narrating the ram katha on ram navami

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: રામ નવમીના અવસર પર, Jio-Hotstar દર્શકો માટે અયોધ્યાથી એક ખાસ લાઇવ સ્ટ્રીમિંગ કરશે. આ દરમિયાન અમિતાભ બચ્ચન ભગવાન રામની પ્રેરણાદાયી વાર્તા સંભળાવશે. આ ઉપરાંત, રામ જન્મભૂમિ પર યોજાતા તમામ ખાસ ધાર્મિક કાર્યક્રમોનું પણ પ્રસારણ તેના પર કરવામાં આવશે. આ સ્ટ્રીમિંગ 6 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે.

આ સમાચાર પણ વાંચો: Yeh Rishta Kya Kehlata Hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત બાદ આ પાત્ર ની પણ થશે વિદાય, લાવશે અરમાન અને અભીરા ની જિંદગી માં તોફાન

રામ કથા અને બચ્ચનની મહત્વની હાજરી

સ્ટ્રીમિંગ દરમિયાન, અમિતાભ બચ્ચન રામના મૂલ્યો વિશે ચર્ચા કરશે. આ ઉત્સવ દરમિયાન રામ જન્મની કથા, રામાયણના સાત અધ્યાય અને રામ જન્મભૂમિનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત, અમિતાભ બચ્ચન બાળકો સાથે એક ઇન્ટરેક્ટિવ સત્ર પણ કરશે. જેમાં રામાયણના પ્રકરણોમાંથી પસંદગીની વાર્તાઓ અને દોહાઓ પણ બતાવવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by JioHotstar (@jiohotstar)


અમિતાભ બચ્ચને આ પ્રોજેક્ટનો ભાગ બનવા બદલ આભાર વ્યક્ત કરતાકહ્યું, “આવા પવિત્ર પ્રસંગનો ભાગ બનવું એ ખૂબ જ સન્માનની વાત છે. રામ નવમી ફક્ત એક તહેવારથી પણ વધારે છે. આ ભગવાન રામ દ્વારા ઉપદેશિત ધર્મ, ભક્તિ અને ન્યાયીપણાના આદર્શોને સ્વીકારવાનો સમય છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like