News Continuous Bureau | Mumbai
Amitabh Bachchan: ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં અમિતાભ બચ્ચન ઘણીવાર પોતાના વ્યક્તિગત જીવનની વાતો શેર કરતા રહે છે. તાજેતરના એપિસોડમાં તેમણે પોતાના જીવનના સૌથી મોટા અફસોસ વિશે ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે કામના કારણે તેઓ પોતાના બાળકો અભિષેક અને શ્વેતા સાથે સમય વિતાવી શક્યા નહીં, જે વિચાર આજે પણ તેમને દુઃખ આપે છે.
આ સમાચાર પણ વાંચો : Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં આવશે 15 વર્ષનો લિપ!અભિરા-અરમાન ની કહાની લેશે મોટો વળાંક, આના પર નેટિઝન્સ એ આપી આવી પ્રતિક્રિયા
જયા બચ્ચનએ સંભાળ્યું ઘર અને બાળકો
અમિતાભ બચ્ચનએ કહ્યું કે, “અમારું વાતાવરણ ખૂબ સાદું હતું. જયા ઘરના કામ અને બાળકોની દેખરેખ કરતી હતી અને હું કામ પર જતો હતો. સવારે જ્યારે હું નીકળતો ત્યારે બાળકો ઊંઘમાં હોય અને રાત્રે પાછો આવતો ત્યારે પણ તેઓ ઊંઘી ગયા હોય. આ વાતનો અફસોસ છે કે હું બાળકો સાથે સમય વિતાવી શક્યો નહીં.”
View this post on Instagram
બચ્ચન સાહેબે આગળ કહ્યું કે, “પછી અમે નક્કી કર્યું કે રવિવારના રોજ હું કામ નહીં કરું અને એ દિવસ પરિવાર માટે ફિક્સ હશે. અમે રમતા, વાતો કરતા અને આજે પણ એ પરંપરા ચાલુ છે કે રવિવારે આખો પરિવાર સાથે ભોજન કરે છે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)