Site icon

અમિતાભ બચ્ચને પાન મસાલા કંપનીને મોકલી કાનૂની નોટિસ, જાણો શું છે કારણ

Amitabh bachchan legal notice pan masala company

 News Continuous Bureau | Mumbai

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પાન મસાલા કંપનીને (Pan Masala Company) લીગલ નોટિસ (legal notice) મોકલી છે. હકીકતમાં, પાન મસાલાની જાહેરાત (Pan masala advertise) જોઈને દેશભરમાં લોકો અમિતાભ બચ્ચનની ટીકા કરી રહ્યા હતા, ત્યારબાદ બિગ બીએ ઓક્ટોબર 2022માં પાન મસાલા બ્રાન્ડ સાથેનો તેમનો કરાર (agreement) સમાપ્ત કર્યો હતો. બિગ બીએ કહ્યું હતું કે તેમને કોઈ ખ્યાલ નહોતો કે આ તસવીરોનો ઉપયોગ સરોગેટ જાહેરાત માટે કરવામાં આવશે.

Join Our WhatsApp Community

અમિતાભ બચ્ચનનો પાન મસાલા બ્રાન્ડ (pan masala brand) સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે, પરંતુ કંપનીએ જાહેરાતોમાં બિગ બીને દર્શાવવાનું બંધ કર્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીને અમિતાભ બચ્ચનના પાન મસાલા દર્શાવતી જાહેરાતનું પ્રસારણ (advertise) રોકવા માટે કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એન્ડોર્સમેન્ટ એગ્રીમેન્ટ (endorsement agreement) સમાપ્ત કરવા છતાં કંપની તેની અવગણના કરી રહી છે. અમિતાભ બચ્ચનની પાન મસાલાની જાહેરાત હજુ પણ પ્રસારિત (telecast)થઈ રહી છે.થોડા સમય પહેલા,એક સત્તાવાર નિવેદન બહાર આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચનની પાન મસાલાની જાહેરાત ને કમર્શિયલ (commercial) કરવામાં આવી હતી. ટેલિકાસ્ટના થોડા દિવસો પછી, બિગ બીએ કંપનીનો સંપર્ક કર્યો અને તેમનો કરાર સમાપ્ત કર્યો. આ સાથે જાહેરાત માટે મળેલા પૈસા પણ પરત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: આવકવેરા વિભાગની ચેતવણી …જો આ નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ્દ કરવામાં આવશે! 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રીય સંગઠનના પ્રમુખ અને અમિતાભ બચ્ચનને તમાકુ નાબૂદી માટે પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાન મસાલા નાગરિકોના સ્વાસ્થ્ય (citizen health) માટે હાનિકારક છે. બિગ બી એ આ જાહેરાતમાંથી હટી જવું જોઈએ. આ પહેલા અક્ષય કુમારે પણ પાન મસાલાની જાહેરાતોથી પોતાને દૂર રાખ્યા હતા.

 

Dhurandhar 2 Teaser Update: રણવીર સિંહની ‘ધુરંધર 2’ ના ટીઝરને મળ્યું ‘A’ સર્ટિફિકેટ; સેન્સર બોર્ડે રનટાઇમ પણ કર્યો કન્ફર્મ
Akshay Kumar Convoy Accident: અક્ષય કુમારના કાફલાની કારનો ભયાનક અકસ્માત! રીક્ષા સાથેની ટક્કરમાં ગાડી પલટી ગઈ; જાણો ‘ખિલાડી’ કુમારની સ્થિતિ અને કેટલા લોકો થયા ઘાયલ
Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Exit mobile version