અમિતાભના ઘરની બહાર પ્રશંસકોની નથી જામતી ભીડ- અભિનેતાએ કહ્યું કેમ તે મુલાકાત પહેલા ઉતારે છે તેમના જૂતા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચનના (amitabh bachchan)બંગલાની બહાર હંમેશા ચાહકોની ભીડ જોવા મળતી હોય છે. ખાસ કરીને દર રવિવારે ચાહકોની ભારે(fans) ભીડ જોવા મળે છે. આ પ્રસંગે અમિતાભ પોતાના બંગલામાંથી બહાર આવીને ચાહકોનું અભિવાદન કરે છે. જો કે તેમનું માનવું છે કે હવે જલસાની(Jalsa) બહાર એવો ઉત્સાહ નથી અને ચાહકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અમિતાભે પોતાના બ્લોગમાં જણાવ્યું કે જ્યારે પણ તે ઘરની બહાર ફેન્સને મળવા પહોંચે છે ત્યારે હંમેશા પોતાના ચપ્પલ(remove shoes) ઉતારે છે. તેણે આવું શા માટે કર્યું તેની પાછળનું કારણ પણ આપવામાં આવ્યું છે.

80 વર્ષીય અમિતાભ બચ્ચન લાંબા સમયથી તેમના ઘરની બહાર ચાહકોનું અભિવાદન કરે છે. અભિનેતા એ  કોરોના(corona) સમયગાળા દરમિયાન ચાહકોને મળવાનું બંધ કરી દીધું હતું. અમિતાભ બચ્ચને લખ્યું, 'મેં જોયું છે કે ચાહકો ની સંખ્યામાં ઘટાડો થયો છે અને ઉત્સાહ પણ ઓછો થયો છે. ખુશીની ચીસો હવે મોબાઈલ કેમેરામાં(mobile camera) ટ્રાન્સફર થઈ ગઈ છે. તે સ્પષ્ટ છે કે સમય આગળ વધી ગયો છે અને કંઈપણ કાયમ માટે રહેતું નથી.'' અમિતાભે વધુમાં કહ્યું કે, રવિવારે (sunday)‘જલસા’ના ગેટ પર ફરી મુલાકાત શરૂ થઈ. જોકે, સાવચેતી પણ રાખવામાં આવી હતી.’

આ સમાચાર પણ વાંચો: લગ્ન પહેલા અમિતાભ બચ્ચને જયા બચ્ચન સામે મૂકી હતી આ શરત- મેરેજ ના 49 વર્ષ બાદ અભિનેત્રી એ કર્યો ખુલાસો

જ્યારે અમિતાભ બચ્ચન તેમના ચાહકોને મળે છે, ત્યારે તેઓ તેમના જૂતા ઉતારે છે. તેમણે એક તસવીર પણ શેર કરી છે. તેમણે કહ્યું કે 'હું જ્યારે પણ મારા શુભચિંતકોને(fans) મળું છું, ત્યારે હું મારા જૂતા ઉતારું છું. આ મારા માટે ભક્તિ છે.' તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન ની ફિલ્મ ઊંચાઈ 11 નવેમ્બરે સિનેમા ઘરો માં રિલીઝ થવા જઈ રહી છે.  

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More