Site icon

Anant ambani: જાણો અનંત અંબાણી એ પોતાની સ્પીચ માં એવું તે શું કહ્યું કે,મુકેશ અંબાણી ની આંખોમાં આવી ગયા આંસુ

Anant ambani: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાત ના જામનગર માં થઇ રહ્યા છે. આ ફંક્શન દરમિયાન અનંત અંબાણી એ સ્પીચ આપી હતી જેને સાંભળી મુકેશ અંબાણી રડી પડ્યા હતા. તેમજ રાધિકા એ પણ પોતાની સ્પીચ માં જામનગર નું મહત્વ જણાવ્યું હતું.

anant ambani speech make mukesh ambani emotional

anant ambani speech make mukesh ambani emotional

News Continuous Bureau | Mumbai 

Anant ambani: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન જામનગર માં શરૂ થઇ ગયા છે. આ ફંક્શન નો આજે છેલ્લો દિવસ છે. આ ફંક્શન ના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.આ બધા વિડીયો માંથી એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું છે અને આ વિડીયો છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની સ્પીચ નો વિડીયો. આ સ્પીચ માં અનંત અંબાણી તેના માતા પિતા માટે એવું બોલે છે કે મુકેશ અંબાણી ની આંખોમાં આંસુ આવી ગયા હતા. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન માં પોતાની આ બે ઈચ્છા પુરી કરવા માંગે છે નીતા અંબાણી, જામનગર વિશે પણ કહી આવી વાત

અનંત અંબાણી ની સ્પીચ 

અનંત અંબાણી એ તેના પરિવાર ને ધન્યવાદ આપતા કહ્યું, મારી માતાએ આ બધું કર્યું છે. તે મારા પ્રી-વેડિંગ ફંક્શન માટે છેલ્લા ચાર મહિનાથી દરરોજ 18-19 કલાક કામ કર્યુંછે. હું મમ્મા નો ખૂબ આભારી છું, તમારો ખૂબ ખૂબ આભાર! હું અહીં આવેલા દરેકનો આભાર માનવા માંગુ છું. હું જાણું છું કે દરેક જણ મને અને રાધિકાને વિશેષ અનુભવ કરાવવા માટે જામનગર આવ્યા છે, અને અમે બધા તમને અહીં મળીને સન્માનિત અને નમ્ર છીએ. જો અમને કોઈને કોઈ અસુવિધા થઈ હોય, તો હું દિલગીર છું, કૃપા કરીને બંને પરિવારોને માફ કરો. આ પ્રસંગને મારા અને રાધિકા માટે આટલો યાદગાર બનાવવા માટે હું મારી માતા, પિતા, બહેન અને મારા ભાઈ અને ભાભી અને જીજાજી નો આભાર માનું છું. મને લાગે છે કે મારો પરિવાર અમને વિશેષ અનુભવ કરાવવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યો છે અને છેલ્લા બે ત્રણ મહિનાથી દરેક વ્યક્તિ દિવસમાં ત્રણ કલાકથી ઓછી ઊંઘ લે છે. હું ખૂબ જ ખુશ છું કે હું આ ખુશી અહીં હાજર દરેક સાથે શેર કરી શકું છું. મારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મારી પાસે ખરેખર શબ્દો નથી.”


અનંત અંબાણી એ તેની સ્પીચ ને આગળ વધારતાં કહ્યું, “તમારામાંથી ઘણા લોકો પહેલેથી જ જાણે છે કે, મારું જીવન હંમેશા સંપૂર્ણપણે ગુલાબ નો પલંગ નથી રહ્યું. મેં પણ ઘણી પીડા સહન કરી છે. બાળપણથી જ મેં અનેક સ્વાસ્થ્ય સંકટનો સામનો કર્યો છે. પરંતુ મારા પિતા અને માતાએ મને ક્યારેય આ વાતનો અહેસાસ થવા દીધો નથી. મારા માતા-પિતા હંમેશા મારી પડખે ઉભા રહ્યા છે, અને તેઓએ હંમેશા મને એવો અહેસાસ કરાવ્યો છે કે જો હું આ વિચારી શકું તો હું તે કરીશ, અને મને લાગે છે કે મારા માતા-પિતાનો મારા માટે આ જ અર્થ છે. હું તેમનો હંમેશ માટે આભારી છું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: એકતા કપૂરના લોકપ્રિય શો કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં થશે તેની અન્ય સીરીયલ ના મુખ્ય પાત્ર ની એન્ટ્રી, કેમિયો રોલથી આવશે નવો ટ્વિસ્ટ
Filmfare Awards 2025: ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં ‘લાપતા લેડીઝ’નો દબદબો, આટલા એવોર્ડ જીતી રચ્યો ઇતિહાસ, વાંચો વિજેતા ની પુરી લિસ્ટ અહીં
Shahrukh Kajol Filmfare: 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં શાહરુખ-કાજોલ એ સ્ટેજ પર લગાવી આગ, બંને ની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ
Abhishek Bachchan Filmfare: 25 વર્ષ બાદ અભિષેક બચ્ચનને મળ્યો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ, આ લોકો ને શ્રેય આપતા પુરસ્કાર કર્યો સમર્પિત
Exit mobile version