News Continuous Bureau | Mumbai
Ananya panday: અનન્યા પાંડે તેની ફિલ્મ કોલ મી બે ને લઈને ચર્ચામાં છે. તાજેતર માં અનન્યા એ ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને અંબાણી પરિવાર ના લગ્ન માં નાચવા ને લઈને ખુલાસો કર્યો હતો.અનંત અને રાધિકા ના લગ્ન માં ઘણા સેલિબ્રિટી ડાન્સ કરતા જોવા મળ્યા હતા.લોકો ના મન માં એવો પ્રશ્ન ઉભો થાય છે કે શું આ સેલેબ્રીટી ને નાચવા માટે પૈસા મળ્યા હતા જેનો અનન્યા એ ખુલાસો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: કુંડલી ભાગ્ય નો કરણ લુથરા બન્યો બિગ બોસ 18 નો સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક, સલમાનના શો માટે ધીરજ ધુપર એ કર અધધ આટલા કરોડની માંગણી!
અનન્યા એ કર્યો ખુલાસો
અનન્યા એ તાજેતર માં ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને અનંત અને રાધિકા ના લગ્ન માં નાચવા ને લઈને ખુલાસો કરતા જણાવ્યું કે, “તેઓ મારા મિત્રો છે. મને સમજાતું નથી કે લોકો આવું કેમ વિચારે છે. સ્વાભાવિક છે કે, હું મારા મિત્રોના લગ્નમાં મારા દિલથી ડાન્સ કરીશ.લગ્ન સિવાય પણ ત્યાં ઘણું બધું થતું હતું, પરંતુ જ્યારે પણ અનંત અને રાધિકાએ એકબીજાને જોયા ત્યારે માત્ર સાચો પ્રેમ હતો. એમની પાછળ કોઈ વાયોલિન વગાડતું હોય એવું લાગતું હતું. આ કંઈક છે જે હું મારા જીવનમાં ઇચ્છું છું. આજુબાજુમાં ગમે તેટલી સમસ્યાઓ હોય, તમારે અને તે વ્યક્તિએ એકબીજા સાથે ઊભા રહેવું જોઈએ.”
View this post on Instagram
અંબાણી પરિવાર ના વખાણ માં અનન્યા એ કહ્યું,“તેમણે બધાનું સ્વાગત કર્યું. ગમે તેટલા ફંકશન હોય, તેમણે બધાને ખૂબ પ્રેમ અને ઉષ્માથી આવકાર્યા. તે એક સુંદર આદત છે કારણ કે તે દરેક વસ્તુને ખૂબ જ વ્યક્તિગત અનુભવે છે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)