News Continuous Bureau | Mumbai
Sudhanshu pandey: સુધાંશુ પાંડે એ અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા ભજવી હતી. સુધાંશુ વનરાજ શાહ ની ભૂમિકા ભજવી ઘર ઘર માં લોકપ્રિય થયો હતો. અનુપમા માં લિપ બાદ સુધાંશુ એ શો ને અલવિદા કહી દીધું હતું. સુધાંશુ અભિનયમાંથી બ્રેક લીધો હતો પરંતુ હવે સુધાંશુ પાંડે ટીવી પર ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યો છે, પરંતુ સુધાંશુ પાંડે અનુપમા સિરિયલમાં નહીં બીજા કોઈ શોમાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો: TMKOC Dilip joshi: તારક મહેતા માંથી જેઠાલાલ ના આ લોકપ્રિય ડાયલોગ પર લાગ્યો પ્રતિબંધ, દિલીપ જોશી એ જણાવ્યું તે પાછળ નું કારણ
વાગલે કી દુનિયા થી સુધાંશુ પાંડે ની વાપસી
મીડિયા રિપોર્ટ મુજબ સુધાંશુ પાંડે ટીવી સીરિયલ વાગલે કી દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ સુધાંશુ શોમાં રોકી નામના પાત્ર તરીકે જોવા મળશે, જેને કારણે શોમાં એક રસપ્રદ વળાંક આવશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુધાંશુની એન્ટ્રી સિરિયલની વાર્તામાં મોટો ફેરફાર લાવશે. શોમાં બતાવવામાં આવશે કે રોકી એક રોકસ્ટાર હશે, જેની પાસે સખી અને અથર્વ જઈ શકશે નહીં. એટલું જ નહીં, રાજેશને રોકીની ઈર્ષ્યા થશે.
View this post on Instagram
જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે સુધાંશુ આ શો માં લાંબા સમય સુધી જોવા મળશે કે પછી તે એક નાનો કેમિયો રોલ કરશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)