Site icon News Continuous Bureau | Mumbai

અનુપમાના ચાહકો માટે ખરાબ સમાચાર, સિરિયલમાં આ ભૂમિકા ભજવનાર અભિનેત્રીનું થયું નિધન ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

પ્રખ્યાત ટીવી અભિનેત્રી માધવી ગોગટેનું રવિવારે અવસાન થયું છે. તેમની આકસ્મિક વિદાય ટીવી જગતના લોકો માટે ઘેરા આઘાત સમાન છે. માધવી ને ટીવી સિરિયલ 'અનુપમા'થી ખાસ ઓળખ મળી, આ ટીવી સિરિયલમાં તેણે રૂપા ગાંગુલીની માતાની ભૂમિકા ભજવી હતી. તેમની વિદાયને કારણે તેમના નજીકના મિત્રો તેમજ તેમના ચાહકોને ઘણું દુઃખ થયું છે. માધવી ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો હતો.

અહેવાલો અનુસાર, અભિનેત્રી માધવી ગોગટે કોરોનાથી પીડિત હતી. થોડા દિવસો પહેલા તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એવા અહેવાલો પણ આવ્યા હતા કે માધવીને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો પરંતુ અચાનક તેની તબિયત બગડવા લાગી અને રવિવારે બપોરે તેનું મોત થઈ ગયું. માધવીના નિધનથી સમગ્ર ટીવી જગત શોકમાં છે.

ટીવી સિરિયલ 'અનુપમા'માં તેની કો-સ્ટાર રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તેના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ શેર કરી હતી. એક પોસ્ટ શેર કરતા તેણે લખ્યું કે ઘણું બધું અકથિત રહી ગયું, સદગતિ માધવી જી. આ સાથે માધવીની ખાસ મિત્ર નીલુ કોહલીએ તેની તસવીર શેર કરી અને લખ્યું કે માધવી ગોગટે મારી પ્રિય મિત્ર, ના, હું વિશ્વાસ  નથી કરી શકતી કે તું અમને છોડી ને જતી રહી છે. હૃદયભંગ, આ તારી જવા ની ઉમર ન હતી. યે કોવિડ, હું ઈચ્છું છું કે જ્યારે તમે મારા મેસેજનો જવાબ ન આપ્યો ત્યારે મેં ફોન ઉપાડ્યો હોત અને તમારી સાથે વાત કરી હોત. હવે હું માત્ર અફસોસ કરી શકું છું.

સીરિયલ ‘અનુપમા’ ના આ એક્ટરને ડેટ કરી ચુકી છે ઉર્ફી જાવેદ, બ્રેકઅપનું કારણ આવ્યું સામે ; જાણો વિગત

માધવી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ હતી. તેણે ટીવીની સાથે સાથે ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. તે મરાઠી ફિલ્મોમાં વધુ સક્રિય હતી. તેણે અશોક સરાફ સાથે મરાઠી ફિલ્મ 'ઘનચક્કર'માં કામ કર્યું હતું. જે બાદ તેના કામને નવી ઓળખ મળી. તેમણે નાટકો પણ ભજવ્યા જેમાં 'ગેલા માધવ કુનિકડે' અને 'ભ્રમચા ભોપાલા' મુખ્ય હતા. માધવીએ ટીવી સિરિયલો 'કોઈ અપના સા', 'ઐસા કભી સોચા ના થા', 'કહીં તો હોગા'માં કામ કરીને પોતાની અભિનય યાત્રા આગળ વધારી.

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version