News Continuous Bureau | Mumbai
Shivangi joshi entry in Anupama: અનુપમા માં 15 વર્ષ નો લિપ આવવાનો છે. લિપ બાદ શો ની વાર્તા માં મોટો ફેરફાર થશે. આ સાથે શો ની સ્ટારકાસ્ટ માં પણ ફેરફાર જોવા મળશે. ઘણા કલાકારો શો ને અલવિદા કહેશે તો બીજા ઘણા કલાકારો નો એન્ટ્રી પણ થશે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં રૂપાલી નું સ્થાન યે રિશ્તા ની નાયરા લેશે હવે આના પર અભિનેત્રી શિવાંગી જોશી ની પ્રતિક્રિયા સામે આવી છે.
આ સમાચાર પણ વાંચો : Hina khan: હિના ખાન ને તેના બર્થડે બાદ મળ્યું ફેન્સ તરફથી ખાસ સરપ્રાઈઝ, અભિનેત્રી એ વિડીયો શેર કરી કહી આવી વાત
શિવાંગી જોશી એ કર્યો ખુલાસો
મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અનુપમા માં લિપ બાદ શિવાંગી જોશી રૂપાલી ગાંગુલી ને રિપ્લેસ કરશે. ઘણા રિપોર્ટ માટે એવું પણ કહેવામાં આવ્યું હતું કે શિવાંગી આધ્યા ની ભૂમિકા માં જોવા મળશે. હવે શિવાંગી એ આ બધા સમાચાર પર ઠંડુ પાણી રેડતા તેની ઇન્સ્ટા સ્ટોરી માં લખ્યું છે કે, ‘તમારા બધાને નમસ્કાર… એવા અહેવાલો છે કે હું અનુપમાનો ભાગ બની રહી છું. મેં વિચાર્યું કે હવે મારે આગળ આવવું જોઈએ અને સ્પષ્ટ કરવું જોઈએ કે હું આ શો નથી કરી રહી અને આ રીતે હું આ અફવાઓનો અંત લાવી રહી છું. હું આ શોની ટીમને મારી શુભકામનાઓ આપું છું.
View this post on Instagram
શિવાંગી જોશીની આ પોસ્ટ પર થી સ્પષ્ટ થઇ ગયું છે કે શિવાંગી જોશી અનુપમા માં કોઈ પણ ભૂમિકા ભજવવાની નથી. આ જાણી ને શિવાંગી ના ફેન્સનું દિલ તૂટી ગયું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)