પારિતોષના જતાંની સાથે જ કિંજલના બૉસ નાખશે તેના પર ખરાબ નજર, વનરાજ ભણાવશે કિંજલના બૉસને પાઠ;જાણો શું થશે અનુપમા ના આગલા એપિસોડમાં

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

શનિવાર

 

સિરિયલ 'અનુપમા'ની વાર્તામાં આ દિવસોમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. વનરાજ અનુપમાને કહે છે કે પરિતોષ તેના દ્વારા ઉછેરવામાં આવ્યો હતો, પરંતુ તેણે વિચાર્યું ન હતું કે તે આટલો બદલાશે. વનરાજ કહે છે, મેં તેને આકાશ આપ્યું, પણ બા અને બાપુજી તેના શબ્દોથી દુ:ખી છે અને ઘર છોડવા માગે છે. વનરાજ આ બધું કહીને રડવા લાગે છે અને આ જોઈને અનુપમા કહે છે કે આપણે કંઈક કરવું પડશે. વનરાજ કહે છે કે ન તો હું બાપુજીને જવા દઈ શકું કે ન પારિતોષને. અનુપમા તેને સમજાવે છે કે જેમ પાખી તેની સાથે ગુસ્સે થઈ હતી અને થોડા દિવસો પછી સ્વસ્થ થઈ ગઈ હતી, એવી જ રીતે તોશુ થોડા દિવસ દૂર રહેશે અને તે બધું સમજી જશે. પારિતોષ અને કિંજલ જવા માટે તૈયાર થઈ જાય છે અને અનુપમા બંનેની આરતી ઉતારે છે. પારિતોષ કિંજલને ત્યાંથી જવાનું કહે છે. જોકે કિંજલ પારિતોષ સાથે જવાની ના પાડે છે. કિંજલના ઇનકારથી પારિતોષનું લોહી ઊકળી ઊઠે છે.

13 વર્ષની રિલેશનશિપ આખરે લગ્નમાં પરિણમી : અનિલ કપૂરની દીકરી રિયા કપૂર આજે કરણ બુલાની સાથે લેશે સાત ફેરા

સિરિયલ 'અનુપમા'ના આગામી એપિસોડમાં તમે જોશો, પારિતોષ કિંજલ સાથેના સંબંધોનો અંત લાવશે. પારિતોષ કિંજલ વગર નીકળી જશે. પારિતોષના નીકળતાં જ કિંજલ બહુ ખરાબ રીતે તૂટી જશે. બીજી બાજુ, અનુપમા પોતાની ડાન્સ એકૅડમીને ગિરવે મૂકશે જેથી તે પૈસા જમા કરાવી શકે. દરમિયાન, કિંજલના બૉસ તેને ઑફિસમાં હેરાન કરવાનું શરૂ કરશે. કિંજલ તેના બૉસની ક્રિયાઓ જોઈને ખૂબ જ અસ્વસ્થ થઈ જશે. કિંજલ રડતી-રડતી ઘરે પાછી આવશે. કિંજલને રડતી જોઈને અનુપમા અને વનરાજ ગભરાઈ જશે. કિંજલ અનુપમાને ગળે લગાવીને ખૂબ રડશે અને બધું જ કહેશે. બૉસની ક્રિયાઓ જાણ્યા બાદ વનરાજનો ગુસ્સો સાતમા આસમાને પહોંચશે. આવી સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે, વનરાજ કેવી રીતે કિંજલના બૉસને પાઠ ભણાવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More