Site icon

પારિતોષના જતાંની સાથે જ કિંજલના બૉસ નાખશે તેના પર ખરાબ નજર, વનરાજ ભણાવશે કિંજલના બૉસને પાઠ;જાણો શું થશે અનુપમા ના આગલા એપિસોડમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

 

સિરિયલ 'અનુપમા'ની વાર્તામાં આ દિવસોમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. વનરાજ અનુપમાને કહે છે કે પરિતોષ તેના દ્વારા ઉછેરવામાં આવ્યો હતો, પરંતુ તેણે વિચાર્યું ન હતું કે તે આટલો બદલાશે. વનરાજ કહે છે, મેં તેને આકાશ આપ્યું, પણ બા અને બાપુજી તેના શબ્દોથી દુ:ખી છે અને ઘર છોડવા માગે છે. વનરાજ આ બધું કહીને રડવા લાગે છે અને આ જોઈને અનુપમા કહે છે કે આપણે કંઈક કરવું પડશે. વનરાજ કહે છે કે ન તો હું બાપુજીને જવા દઈ શકું કે ન પારિતોષને. અનુપમા તેને સમજાવે છે કે જેમ પાખી તેની સાથે ગુસ્સે થઈ હતી અને થોડા દિવસો પછી સ્વસ્થ થઈ ગઈ હતી, એવી જ રીતે તોશુ થોડા દિવસ દૂર રહેશે અને તે બધું સમજી જશે. પારિતોષ અને કિંજલ જવા માટે તૈયાર થઈ જાય છે અને અનુપમા બંનેની આરતી ઉતારે છે. પારિતોષ કિંજલને ત્યાંથી જવાનું કહે છે. જોકે કિંજલ પારિતોષ સાથે જવાની ના પાડે છે. કિંજલના ઇનકારથી પારિતોષનું લોહી ઊકળી ઊઠે છે.

13 વર્ષની રિલેશનશિપ આખરે લગ્નમાં પરિણમી : અનિલ કપૂરની દીકરી રિયા કપૂર આજે કરણ બુલાની સાથે લેશે સાત ફેરા

સિરિયલ 'અનુપમા'ના આગામી એપિસોડમાં તમે જોશો, પારિતોષ કિંજલ સાથેના સંબંધોનો અંત લાવશે. પારિતોષ કિંજલ વગર નીકળી જશે. પારિતોષના નીકળતાં જ કિંજલ બહુ ખરાબ રીતે તૂટી જશે. બીજી બાજુ, અનુપમા પોતાની ડાન્સ એકૅડમીને ગિરવે મૂકશે જેથી તે પૈસા જમા કરાવી શકે. દરમિયાન, કિંજલના બૉસ તેને ઑફિસમાં હેરાન કરવાનું શરૂ કરશે. કિંજલ તેના બૉસની ક્રિયાઓ જોઈને ખૂબ જ અસ્વસ્થ થઈ જશે. કિંજલ રડતી-રડતી ઘરે પાછી આવશે. કિંજલને રડતી જોઈને અનુપમા અને વનરાજ ગભરાઈ જશે. કિંજલ અનુપમાને ગળે લગાવીને ખૂબ રડશે અને બધું જ કહેશે. બૉસની ક્રિયાઓ જાણ્યા બાદ વનરાજનો ગુસ્સો સાતમા આસમાને પહોંચશે. આવી સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે, વનરાજ કેવી રીતે કિંજલના બૉસને પાઠ ભણાવશે.

Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version