Site icon

‘અનુપમા’ ની આ અભિનેત્રીએ અચાનક જ છોડી દીધો શો, જણાવ્યું સિરિયલ છોડવા પાછળ નું કારણ

 News Continuous Bureau | Mumbai

ટીવી શો 'અનુપમા' ટીઆરપીમાં છવાયેલો છે. શોનો ટ્રેક અને સ્ટોરી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ શોમાં અનઘા  ભોસલે નંદિનીની ભૂમિકા ભજવી રહી હતી, પરંતુ હવે તેણે આ શો છોડી દીધો છે. અચાનક શો છોડવાથી ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત છે. અભિનેત્રીએ શોબિઝમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે અને તેણે એક ઈન્ટરવ્યુમાં આ પાછળનું કારણ પણ જણાવ્યું છે.

Join Our WhatsApp Community

શો ‘અનુપમા’ માં, અનઘા ભોસલે માં રૂપાલી ગાંગુલીની નાની વહુની ભૂમિકા ભજવી રહી હતી. સમર અને તેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. અનઘાએ શો છોડતાની સાથે જ યુઝર્સના મનમાં ઘણા સવાલો આવી રહ્યા છે.અભિનેત્રી પુણેમાં તેના ઘરે પરત ફરી છે.એક મીડિયા હાઉસ ને આપેલ એક ઇન્ટરવ્યૂ માં, તેણીએ કહ્યું, “હું હૃદયથી ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ છું, અને હું વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લઉં છું.’ અનઘા ભોસલેએ કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મને સમજાયું કે ઈન્ડસ્ટ્રી મારી અપેક્ષાથી વિપરીત છે. અહીં રાજકારણ છે, બિનઆરોગ્યપ્રદ સ્પર્ધા છે. હંમેશા સારા દેખાવા અને સ્લિમ દેખાવાની હરીફાઈ હોય છે.સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરવાનું દબાણ છે. જો તમે આ વસ્તુઓ ન કરો તો તમે પાછળ રહી જાવ છો . આ બાબતો મારી વિચાર પ્રક્રિયા સાથે મેળ ખાતી નથી.

આ સમાચાર પણ વાંચો : 19 વર્ષ બાદ બહાર આવ્યું મંદિરા બેદીનું દર્દ , ક્રિકેટરો પર લગાવ્યો આ ગંભીર આરોપ; જાણો શું હતો મામલો

અનઘા ભોસલેએ વધુ માં જણાવ્યું કે,, "હું મારી જાતને શોબિઝના દંભ સાથે જોડી શકી નથી. તે દંભથી ભરેલો છે. હું મારી ધાર્મિક માન્યતાઓને આગળ ધપાવવા માંગુ છું અને મારા જીવનમાં શાંતિ અને સંતોષની ભાવના પ્રાપ્ત કરવા માંગુ છું." જો કે, અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તેણે બ્રેક લીધો છે અને અભિનય બંધ કર્યો નથી.'અનઘાના શો છોડવા અંગે કો-સ્ટાર પારસ કલનાવતે કહ્યું હતું કે તેને અભિનેત્રી સાથે કામ કરવાની આદત પડી ગઈ હતી.એક ન્યૂઝ પોર્ટલ ના  કહેવા પ્રમાણે, તેણે કહ્યું- 'મને અનઘા સાથે કામ કરવાની આદત પડી ગઈ હતી. અમે ઘણા સારા મિત્રો બની ગયા હતા. હું તેના નિર્ણય પર કંઈ કહી શકું તેમ નથી. પણ હું તેને ખૂબ મિસ કરીશ.તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ શો છોડતા પહેલા 'અનુપમા'માં પોતાનો બાકીનો ટ્રેક પૂરો કરી લીધો છે. શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તે હવે એક્ટિંગ ફિલ્ડથી અલગ થઈ ગઈ છે.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version