Nidhi shah Bigg boss 17: શું બિગ બોસ માટે કિંજલે છોડ્યો અનુપમા નો સાથ, નિધિ શાહે જણાવી હકીકત

Nidhi shah Bigg boss 17: નિધિ શાહ અનુપમા સિરિયલ માં કિંજલ નું પાત્ર ભજવી ને લોકપ્રિય બની છે. હવે શો અનુપમા માં કિંજલ નો ટ્રેક પૂરો થઇ ગયો છે. આ દરમિયાન હવે એવા સમાચાર આવી રહ્યા છે કે નિધિ શાહે શો બિગ બોસ માટે અનુપમા સિરિયલ છોડી દીધી છે.

by Zalak Parikh
anupamaa kinjal aka nidhi shah open up her wild card entry in bigg boss 17

News Continuous Bureau | Mumbai

Nidhi shah Bigg boss 17: આ દિવસો માં નિધિ શાહ એટલેકે અનુપમા ની કિંજલ ચર્ચા માં છે. નિધિ શાહ તેના અનુપમા શો છોડવાને કારણે ચર્ચામાં છે. જ્યારથી ચાહકો ને ખબર પડી છે કે નિધિ એ અનુપમા શો છોડી દીધો છે ત્યરથી તેઓ દુઃખી છે. હવે આ બધાની વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નિધિ શાહ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા બિગ બોસ 17 ના ઘર માં પ્રવેશ કરશે. હવે નિધિ શાહે આ વિશે વાત કરી છે. 

 

 નિધિ શાહે જણાવી હકીકત 

નિધિએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘આ બધું સાચું નથી દોસ્ત, કૃપા કરીને અફવાઓ ન ફેલાવો.’ નિધિ ની આ વાત થી સ્પષ્ટ થાય છે કે તે બિગ બોસ 17 માં પ્રવેશ નહીં કરે. તમને જણાવી દઈએ કે આ અગાઉ નિધિ શાહે પોતે જ ખુલાસો કર્યો હતો કે તેને અનુપમા સિરિયલ કેમ છોડી. 

anupamaa kinjal aka nidhi shah open up her wild card entry in bigg boss 17

મીડિયા રિપોર્ટ મુજબ, બિગ બોસ 17 માં 5 વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકો શોમાં પ્રવેશવાના છે અને 4 સ્પર્ધકોને બહાર કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે.

આ સમાચાર પણ વાંચોઃ Rakhi sawant on bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં પતિ આદિલ સાથે એન્ટ્રી કરવા પર રાખી સાવંતે તોડ્યું મૌન, પોસ્ટ શેર કરી જણાવી હકીકત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More