News Continuous Bureau | Mumbai
Anupama Rupali ganguly: અનુપમા એ સ્ટાર પ્લસ નો નંબર વન શો છે. આ શો ની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ના અભિનય એ લોકોના દિલ જીતી લીધા છે.જોકે છેલ્લા ઘણા સમય થી અનુપમા ની ટીઆરપી માં ઘટાડો થયો છે. અનુપમા માં થોડા સમય પેહલા જ 15 વર્ષ નો લિપ આવ્યો હતો જેમાં ઘણા નવા કલાકારો ની એન્ટ્રી પણ થઇ હતી અને જુના કલાકારો એ શો ને અલવિદા પણ કહ્યું હતું. હવે અનુપમા માંથી એક ચોંકવનાર સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ અનુપમા ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી જલ્દી જ શો ને અલવિદા કહેવાની છે. તો ચાલો જાણીયે રિપોર્ટ માં બીજું શું કહેવામાં આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Ranbir kapoor and Alia bhatt: નવા વર્ષ પર પુત્રી રાહા અને પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળ્યા રણબીર અને આલિયા, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
અનુપમા માંથી રૂપાલી લેશે વિદાય?
અનુપમા સિરિયલ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, “રુપાલી ગાંગુલી આગામી ત્રણ મહિનામાં ‘અનુપમા’ને અલવિદા કહી શકે છે. મેકર્સ 15 વર્ષની જનરેશન લીપ જેમાં તેણે શિવમ ખજુરિયા અને અદ્રિજા રોય જેવા લીડને જલદી રજૂ કર્યા હતા. કારણ કે નિર્માતાઓએ પ્રેમ અને રાહી વચ્ચે મજબૂત બંધન સ્થાપિત કર્યું હતું. આગામી ત્રણ મહિનામાં રૂપાલી ગાંગુલીની એક્ઝિટ ગમે ત્યારે થઇ શકે છે.નિર્માતાઓ હાલમાં ફક્ત પ્રેમ, રાહી અને માહીના પ્રેમ ત્રિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એપિસોડમાંથી રૂપાલીના સીન પણ ઓછા કરવામાં આવ્યા છે.”
View this post on Instagram
જોકે રૂપાલી ગાંગુલી ની એક્ઝિટ ને લઈને અનુપમા ના મેકર્સ કે રૂપાલી એ કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)