Site icon

શું અનુજ ઉર્ફે ગૌરવ ખન્ના અનુપમાને કહેવા જઈ રહ્યો છે અલવિદા? આ માટે મેકર્સ લાવ્યા વાર્તા માં ટ્વીસ્ટ, જાણો વિગત

અનુપમાના તમામ દર્શકો ઈચ્છે છે કે આ સમાચાર ખોટા હોય. હાલમાં, એવી ચર્ચા છે કે ગૌરવ ખન્નાએ ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લેવાને કારણે સિરિયલ છોડી દીધી છે.

anupamaa serial lead actor quit show for dance reality show says report after shocking twist in anupama life

શું અનુજ ઉર્ફે ગૌરવ ખન્ના અનુપમાને કહેવા જઈ રહ્યો છે અલવિદા? આ માટે મેકર્સ લાવ્યા વાર્તા માં ટ્વીસ્ટ, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

અનુપમા સિરિયલમાં ઈમોશનલ ટ્વીસ્ટ આવતાની સાથે જ આગળની વાર્તાને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. અનુપમા જ્યારે અનુજનો જવાબ જાણશે ત્યારે તે ભાંગી પડશે. તે પોતાનું જીવન સમાપ્ત કરવાનું વિચારશે પરંતુ મા કાંતા મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોનો પરિચય આપીને જીવનનું મૂલ્ય સમજાવશે. આ દરમિયાન એક સમાચારે અનુપમાના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો શોમાંથી અનુજ કાપડિયાની ભૂમિકા ઓછી કરવામાં આવી હતી કારણ કે ગૌરવ ખન્ના શો છોડી રહ્યો છે. કેટલાક લોકોએ ટ્વિટર પર એવું પણ લખ્યું છે કે અનુપમાના મરાઠી વર્ઝનમાં પણ આવું જ થયું છે. એવા અહેવાલો છે કે ગૌરવ ખન્ના એક રિયાલિટી શોનો ભાગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે શોમાં એક ટ્વિસ્ટ લાવવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

 

શું ગૌરવ ખન્નાએ શો છોડી દીધો?

પ્રિકૅપમાં બતાવવામાં આવ્યું છે કે અનુપમા તેના જીવનનો એક અધ્યાય ફેંકી દે છે અને ખુલ્લેઆમ જીવન જીવવાની વાત કરે છે. એવું માનવામાં આવે છે કે શોમાંથી અનુજ પરથી ફોક્સ ઓછું થઈ જશે અને ફોકસ અનુપમાના જીવન પર રહેશે. સુધાંશુ પાંડેનો રોલ પણ વધશે જ્યારે ગૌરવ ખન્ના શો છોડી દેશે. ટ્વિટર પર એક યુઝરે કમેન્ટ કરી, ‘ગૌરવ ખન્નાએ શો છોડી દીધો? મરાઠી વર્ઝન માં પણ એવું જ થયું. મને કેમ લાગે છે કે ચાહકોની પ્રતિક્રિયાને કારણે આ લોકો આ વાત છુપાવી રહ્યા છે. નહીં તો એક પ્રતિકાત્મક પાત્ર સાથેના શોની વાર્તામાં આટલો અચાનક બદલાવ શા માટે.’

 

રિયાલિટી શોમાં જોવા મળશે ગૌરવ!

એક રિપોર્ટ અનુસાર, ગૌરવ ખન્ના તેની પત્ની સાથે સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શો કરવા જઈ રહ્યો છે. ‘નચ બલિયે’ માં ભાગ લેવાને કારણે ગૌરવ ‘અનુપમા’ સાથે ચાલુ રાખી શકશે નહીં. આ કારણે મેકર્સે વાર્તામાં ટ્વિલ્ટ લાવવાનો નિર્ણય લેવો પડ્યો. તે જ સમયે, એવા અહેવાલો પણ આવ્યા હતા કે અનુજની છબી કલંકિત ન થવી જોઈએ, તેથી એવું પણ દર્શાવવામાં આવી શકે છે કે તેને કોઈ રોગ છે, જેના કારણે તેણે અનુપમાથી દૂર જવાનું નક્કી કર્યું. જો કે કેટલાક દર્શકોએ એ પણ ટ્વીટ કર્યું છે કે ગૌરવ શો છોડી રહ્યો નથી પરંતુ હવે તેમના અલગ થવાની વાર્તા બતાવવામાં આવશે. હવે શો આગળ શું ટ્વિસ્ટ લેશે તે તો સમય જ કહેશે.અત્યાર સુધી અનુપમા અને અનુજના અલગ થવાને કારણે દર્શકોનું દિલ તૂટી ગયું છે.

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version