શું અનુજ ઉર્ફે ગૌરવ ખન્ના અનુપમાને કહેવા જઈ રહ્યો છે અલવિદા? આ માટે મેકર્સ લાવ્યા વાર્તા માં ટ્વીસ્ટ, જાણો વિગત

અનુપમાના તમામ દર્શકો ઈચ્છે છે કે આ સમાચાર ખોટા હોય. હાલમાં, એવી ચર્ચા છે કે ગૌરવ ખન્નાએ ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લેવાને કારણે સિરિયલ છોડી દીધી છે.

by Zalak Parikh
anupamaa serial lead actor quit show for dance reality show says report after shocking twist in anupama life

News Continuous Bureau | Mumbai

અનુપમા સિરિયલમાં ઈમોશનલ ટ્વીસ્ટ આવતાની સાથે જ આગળની વાર્તાને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. અનુપમા જ્યારે અનુજનો જવાબ જાણશે ત્યારે તે ભાંગી પડશે. તે પોતાનું જીવન સમાપ્ત કરવાનું વિચારશે પરંતુ મા કાંતા મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોનો પરિચય આપીને જીવનનું મૂલ્ય સમજાવશે. આ દરમિયાન એક સમાચારે અનુપમાના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો શોમાંથી અનુજ કાપડિયાની ભૂમિકા ઓછી કરવામાં આવી હતી કારણ કે ગૌરવ ખન્ના શો છોડી રહ્યો છે. કેટલાક લોકોએ ટ્વિટર પર એવું પણ લખ્યું છે કે અનુપમાના મરાઠી વર્ઝનમાં પણ આવું જ થયું છે. એવા અહેવાલો છે કે ગૌરવ ખન્ના એક રિયાલિટી શોનો ભાગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે શોમાં એક ટ્વિસ્ટ લાવવામાં આવ્યો હતો.

 

શું ગૌરવ ખન્નાએ શો છોડી દીધો?

પ્રિકૅપમાં બતાવવામાં આવ્યું છે કે અનુપમા તેના જીવનનો એક અધ્યાય ફેંકી દે છે અને ખુલ્લેઆમ જીવન જીવવાની વાત કરે છે. એવું માનવામાં આવે છે કે શોમાંથી અનુજ પરથી ફોક્સ ઓછું થઈ જશે અને ફોકસ અનુપમાના જીવન પર રહેશે. સુધાંશુ પાંડેનો રોલ પણ વધશે જ્યારે ગૌરવ ખન્ના શો છોડી દેશે. ટ્વિટર પર એક યુઝરે કમેન્ટ કરી, ‘ગૌરવ ખન્નાએ શો છોડી દીધો? મરાઠી વર્ઝન માં પણ એવું જ થયું. મને કેમ લાગે છે કે ચાહકોની પ્રતિક્રિયાને કારણે આ લોકો આ વાત છુપાવી રહ્યા છે. નહીં તો એક પ્રતિકાત્મક પાત્ર સાથેના શોની વાર્તામાં આટલો અચાનક બદલાવ શા માટે.’

 

રિયાલિટી શોમાં જોવા મળશે ગૌરવ!

એક રિપોર્ટ અનુસાર, ગૌરવ ખન્ના તેની પત્ની સાથે સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શો કરવા જઈ રહ્યો છે. ‘નચ બલિયે’ માં ભાગ લેવાને કારણે ગૌરવ ‘અનુપમા’ સાથે ચાલુ રાખી શકશે નહીં. આ કારણે મેકર્સે વાર્તામાં ટ્વિલ્ટ લાવવાનો નિર્ણય લેવો પડ્યો. તે જ સમયે, એવા અહેવાલો પણ આવ્યા હતા કે અનુજની છબી કલંકિત ન થવી જોઈએ, તેથી એવું પણ દર્શાવવામાં આવી શકે છે કે તેને કોઈ રોગ છે, જેના કારણે તેણે અનુપમાથી દૂર જવાનું નક્કી કર્યું. જો કે કેટલાક દર્શકોએ એ પણ ટ્વીટ કર્યું છે કે ગૌરવ શો છોડી રહ્યો નથી પરંતુ હવે તેમના અલગ થવાની વાર્તા બતાવવામાં આવશે. હવે શો આગળ શું ટ્વિસ્ટ લેશે તે તો સમય જ કહેશે.અત્યાર સુધી અનુપમા અને અનુજના અલગ થવાને કારણે દર્શકોનું દિલ તૂટી ગયું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More